રાજ્ય સરકારની કૂનેહથી સમેટાઈ ગઈ STની હડતાલ. બુધવાર રાત્રીથી થવાની હતી હડતાલ.કર્મચારીઓની કેટલીક માંગણીઓ બની સ્વીકાર્ય. કર્મચારીઓની સુધરી ગઈ દિવાળી
ST હડતાલનો સુખાંત; નહિ પડે હડતાલ
સરકારે સમય સાચી લીધો; કેટલીક માંગ સ્વીકાર્ય
બુધવાર મધરાતથી થવાનો હતો ST ચક્કાજામ
ગુજરાતમાં મધરાતથી એસી બસના પૈડા થંભી જવાના હતા. પણ હવે તેવું નથી થઇ રહ્યું. માટે જો તમે મધરાતે મુસાફરી કરતા હશો તો બસ થંભી નહિ જાય, કે તમને ઉતારી નહિ મુકે.કારણકે, ST કર્મચારી એસોશીએશનનું સમાધાન સરકાર સાથે થઇ ગયું છે,અને હાલ ઘી ના ઠામમાં ઘી ઢળી ગયું છે.ચિંતાનું કોઈ કારણ નથી
સરકારની કૂનેહ- 8 માંગણી હજુ 'પેન્ડીંગ'
રાજ્યના એસ ટી વિભાગના કર્મચારીઓ બુધવાર રાત્રીથી હડતાલ પર જવાના હતા.રાજ્યના તમામ એસ ટી સ્ટેન્ડ પર બસનો ખડકલો અને ચક્કાજામ થવાની સ્થિતિ હતી.પરંતુ રાજ્ય સરકારે દીપાવલીના તહેવારોને ધ્યાને રાખી,હડ્તાલથી કોઈ અફરા-તફરી ના સર્જાય તેવી કૂનેહથી કર્મચારી એસોશીએશન સાથે વાત સુખાંત આણ્યો છે. રાજ્ય સરકારના વાહન-વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ 18 માંથી 10 માંગણીઓ મંજૂર રાખતા હડતાલ સમેટાઈ ગઈ છે.
ST કર્મચારીઓની સુધરી "દીવાળી'
એસ ટી કર્મચારી મહા મંડળની કેટલીક લાંબા સમયથી પડતર રહેલી માગણીઓ,અને તે અંગે વ્યાપેલો અસંતોષ હડતાળનું મુખ્ય કારણ હતો. રાજ્ય સરકાર સાથેની વાતચીતમાં જે માંગણીઓ સ્વીકાર્ય બની છે તેમાં 7 માં પગાર પંચનો ત્રીજો હપ્તો તાત્કાલિક ધોરણે ચૂકવાશે. ઉપરાંત કર્મચારીઓના પરિવારજનોને નોકરીના વિકલ્પે નાણાકીય પેકેજ પણ ચુકવવામાં આવશે. એસટી કર્મચારીઓને 5 ટકા જેટલું DA પણ ચૂકવવા બાબતે સહમતી સધાઈ છે. વધુમાં,ફિક્સ પગાર કર્મચારીઓના નિધન બાદ તેમના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવશે. આ સાથે વર્ગ-4ના કર્મચારીઓને બે વર્ષનું બોનસ પણ ચુકવાશે.
હવે આગળની ચર્ચા દીવાળી પછી
એસટી કર્મચારી મહા મંડળની પડતર 8 માંગણીઓ બાબતે સંભવત;દીપાવલીના તહેવારો બાદ નિર્ણય લઇ શકાય તેવી શક્યતા છે. હાલ પુરતું તો ST વિભાગના 944 જેટલા કર્મચારીઓના વારસદારોને આપવાની બાકી રકમની ચુકવણી કરાશે.ઉપરાંત ડ્રાઈવર -કંડકટરના પે-સ્કેલ પણ રિ-વાઈઝ કરવાની બાબતને રાજ્ય સરકારે મંજૂર રાખી છે.