કેન્દ્ર સરકાર વિવાહિત લોકોનું જીવન સુધારવા માટે પ્રધાનમંત્રી વય વંદના યોજના (પીએમવીવીવાય) ચલાવી રહી છે. આ યોજના વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ યોજનામાં પતિ-પત્ની બંને સાથે મળીને રોકાણ કરી શકે છે. રિટાયરમેન્ટ બાદ 18,500 રૂપિયાનું પેન્શન મળશે.
પતિ-પત્નીને ₹18,500 મળશે
કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 4 મે, 2017ના રોજ આ યોજના શરૂ કરી હતી. પહેલા રોકાણની મર્યાદા 7.50 લાખ રૂપિયા હતી પરંતુ હવે તેને વધારીને 15 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
વાર્ષિક 7.4 ટકા વ્યાજ, 60 વર્ષની વધુ ઉંમરના લોકો 15 લાખનું રોકાણ કરી શકે
પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં વાર્ષિક 7.4 ટકા વ્યાજ મળે છે. હવે તેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. પતિ-પત્ની બંને આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. જો આ યોજનામાં બંને 60 વર્ષની ઉંમરે 15-15 લાખ રૂપિયાનું રોકાણ કરશે તો બંનેને 18,300 રૂપિયાનું પેન્શન મળશે. જો કોઈ પતિ-પત્ની વચ્ચે 15 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો તમને 9,250 રૂપિયા મળશે.
15 લાખના રોકાણ પર દર મહિને 9,250 રૂપિયાનું પેન્શન
60 વર્ષથી વધુ વયના તમામ નાગરિકો 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ રોકાણ 31 માર્ચ 2023 પહેલા કરવાનું રહેશે. તેમાં રોકાણના આધારે દર મહિને 1000થી 9250 રૂપિયા સુધીનું પેન્શન મળે છે. જો તમે ઓછામાં ઓછું 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને દર મહિને 1,000 રૂપિયાનું પેન્શન મળશે. 15 લાખ રૂપિયાના રોકાણથી દર મહિને 9250 રૂપિયા પેન્શન મળશે. જો પતિ-પત્ની રોકાણ કરશે તો તમારે 30 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પછી તમને બંનેને દર મહિને 18,500 રૂપિયા મળશે.