હવામાન વિભાગે કરી આગાહી, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે
પતંગ રસિકો માટે સારા સમાચાર
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
3 દિવસ બાદ ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી
હાલ અમદાવાદમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેશે
ગુજરાતમાં ઉત્તરાયણ પહેલા પતંગરસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે. આ સાથે 3 દિવસ બાદ ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. મહત્વનું છે કે, હાલ અમદાવાદમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેશે.
ઉત્તરાયણ પહેલા પતંગરસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હાલ ઠંડીમાં આંશિક રાહત મળ્યા બાદ હવે હવામાન વુભાગે નવી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે તેવી આગાહી કરી છે. જેને લઈ પતંગરસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 9, 2023
હવામાન વિભાગે શું આગાહી કરી ?
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ સવાર-સાંજ બેવડી ઋતુ અનુભવ થશે તેવી આગાહી કરી છે. જેમાં સવારે ઠડી અને બપોરે ગરમી જેવું વાતાવરણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઠડા પવનોનું જોરમાં થયો ઘટાડો થતા બેવડી ઋતુ અનુભવ થશે, જેને લઈ અમદાવાદ સહિત 15 શહેરોમાં 30 ડિગ્રી તાપમાન થતા ઠડીમાં રાહત મળશે.
હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી કરી છે. હવામાને કહ્યું કે, આગામી 2 દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓછું થતા ઠડીનું પ્રમાણ ઘટશે. જેને લઈ બે દિવસ તાપમાન ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે અમદાવાદ,ગાંધીનગરમાં દિવસનું તાપમાન 30.5 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. આ તરફ રાત્રિના સમયે તાપમાનમાં પણ એક બે ડિગ્રી તાપમાન વધવાની તેમજ બપોરે ગરમી અસર વર્તાશે તેવી આગાહી કરી છે.