મકાન ખરીદવાનો પ્લાન કરનાર માટે આવી રહ્યા છે ખુશીનાં સમાચાર ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ હોમ લોનનાં વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. માટે હવે સપનાનું ઘર બનાવનાર માટે શુભ સમાચાર છે.
ભારતીય સ્ટેટ બેકે સિબિલ સ્કોરનાં આધાર પર હોમ લોનમાં 70 બેસિસ પોઈન્ટ એટલે કે આશરે 0.7 ટકા સુધીની છૂટ આપવાની જાહેરાત કરી છે. જેનાંથી એસબીઆઈની હોમ લોન ઓછામાં ઓછી 6.70 ટકા સુધી થઈ ગઈ છે.
31 માર્ચ સુધી મળશે આ ફાયદો
એસબીઆઈ તરફથી આપવામાં આવેલી આ છૂટ ફક્ત 31 માર્ચ 2021 સુધી મળશે. તે ઉપરાંત બેંકે 31 માર્ચ સુધી 100 ટકા પ્રોસેસિંગ ફી માફ કરવાની જાહેરાત કરી છે. એટલે માર્ચનાં અંત સુધી હોમ લોન લેનારને કોઈ પણ પ્રોસેસિંગ ફી નહી આપવી પડે.
75 લાખની હોમ લોન પર 6.7 ટકાનું વ્યાજદર
એસબીઆઈએ કહ્યું છે કે, આ છૂટ ફક્ત એ લોકોને આપવામાં આવશે જેમનું સિબિલ સ્કોર સારુ હશે. સારી પેમેન્ટ હિસ્ટ્રીવાળા ગ્રાહકોને સારા દરે લોન મળશે. માટે હવે સપનાનું ઘર ખરીદનાર વ્યક્તિને ઈએમઆઈમાં મળશે મોટી રાહત. હવે સિબિલ સ્કોરનાં હિસાબથી એસબીઆઈનાં ગ્રાહકોને 75 લાખ રુપિયા સુધી હોમ લોન પર સૌથી ઓછી 6.7 ટકા દરનું વ્યાજ લાગશે.