ગુજરાત હાઇકોર્ટે આપેલા એક ચુકાદાથી મકાન ખરીદનારાઓને મોટી રાહત મળી છે. હાઇકોર્ટે જણાવ્યું છે કે,જમીન ખરીદી પર GST નહીં લાગુ પડે
હવે મકાન ખરીદનારને મળશે મોટી રાહત
ગુજરાત હાઇકોર્ટનો મકાન ખરીદી મૂદ્દે મોટો ચુકાદો
જમીન ખરીદી પર GST નહીં લાગુ પડે : હાઇકોર્ટ
સરકાર દ્વારા લેવાતા 33 % જમીનનીના ખર્ચ અયોગ્ય : હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે આપેલા એક ચુકાદાથી મકાન ખરીદનારાઓને મોટી રાહત મળી છે. હાઇકોર્ટે જણાવ્યું છે કે, બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા GSTમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં .
ગુજરાત હાઇકોર્ટનો મકાન ખરીદી મૂદ્દે મોટો ચુકાદો
છેલ્લા કેટલાક સમયથી બિલ્ડર દ્વારા પ્લોટીંગ સ્કીમ અને જમીન વેચાણ ઉપર GST લાગું પડે કે નહીં તેને લઇને ગેરસમજ પ્રવર્તી હતી. GSTના ડરથી બિલ્ડરો દ્વારા જમીન ખરીદનાર વ્યક્તિ પાસેથી 12 ટકા અને 5 ટકાના દરે GST ઉઘરાવીને સરકારમાં જમાં કરાવતા હતા. કેન્દ્ર સરકારે બિલ્ડર પોતાની સ્કીમનું વેચાણ કરે ત્યારે જમીનની કિંમત 33 ટકા ગણી બાકીની રકમ ઉપર એટલે કે 66 ટકા ઉપર GST લાગે તેવો પરિપત્ર કર્યો હતો. જેને લઇને એક અરજીકર્તાએ GSTના પરિપત્રને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
સરકાર દ્વારા લેવાતા 33 ટકા જમીનનીના ખર્ચ અયોગ્ય-હાઇકોર્ટ
અત્રે ઉલ્લેખનીય છે કે, અરજીકર્તાએ ગુજરાત હાઇકોર્ટમાં સરકાર દ્વારા જમીનની કિંમત 33 ટકા કેવી રીતે નક્કી કરવામાં આવી તે મુદ્દે કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને લઇને હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 33 ટકા જમીનની કિંમત ગણી GSTમાં મુક્તિ અયોગ્ય છે. કરદાતા પાસે જમીનની કિંમતનો વિકલ્પ રહ્યો છે એટલે કે કોઇ પણ જમીનની કિંમત ટોટલ રકમના 33 ટકા ગણી શકાય નહીં. જ્યા જમીનની કિંમત અલગ દર્શાવવામાં આવી હોય તો માત્ર બાંધકામ ખર્ચ પર જ GST વસુલી શકાશે.