ગાંધીનગરમાં કર્મચારીઓને દિવાળી પહેલા આવાસના નવા મકાનો ફાળવાનો આવશે, આજે મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગ મંત્રી કરશે લોકાર્પણ,જર્જરિત મકાનમાં રહેતા કર્મચારીઓને મળશે મોટી ભેટ
ગાંઘીનગરમાં કર્મચારીઓને દિવાળી પહેલા ભેટ
સેક્ટર 6માં બનેલા સરકારી આવાસોનું લોકાર્પણ
સરકારી કર્મચારીઓ માટે બનાવાયા 500 આવાસો
દિવાળીને માત્ર બે દિવસ બાકી છે ત્યારે સરકારી કર્મચારીઓ માટે દિવાળી પહેલા સરકારે મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારના કર્મચારીઓને આજે આવાસના નવા મકાનાની ભેટ મળવા જઈ રહી છે. સેક્ટર 6માં બનેલા સરકારી ક્વોટર્સનું આજે મુખ્યમંત્રી અને માર્ગ મકાન મંત્રીના હસ્ત લોકાર્પણ હાથ ધરાનાર છે જેમાં જર્જરિત આવાસમાં રહેતા કર્મચારીઓને નવા ક્વોટર્સની ફાડવણી કરવામાં આવશે.
ગાંઘીનગરમાં કર્મચારીઓને દિવાળી પહેલા ભેટ
દિવાળીના તહેવારને લઈને સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓને બોનસ અને એડહોક બોનસી ભેટ આપી છે, તેમજ આ વખતે કર્મચારીઓનો પગાર પણ વહેલા કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે જેને લઈ બે વર્ષ બાદ આ વખતે દિવાળીમાં રોનક જોવા મળી રહી છે ત્યારે આ વખતે સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારે વિશેષ ભેટ આપી છે.
સેક્ટર 6માં બનેલા સરકારી આવાસોનું લોકાર્પણ
ગાંધીનગરમાં કર્મચારીઓને આજે દિવાળી પહેલા આવાસના નવા મકાનો ફાળવામાં આવશે, જેનું આજે મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના મંત્રી લોકાર્પણ હાથ ધરનાર છે. જર્જરિત આવાસમાં રહેલા કર્મચારીઓને હવે નવા આવાસ ફાળવાશે. સેક્ટર 6માં બનેલા સરકારી આવાસોનું દિવાળી પહેલા જ લોકાર્પણ કરી મકાનોને કર્મચારીઓને ફાળવી દેવામાં આવશે, આ આવાસ સરકારી કર્મચારીઓ માટે બનાવાયા છે જેમાં કર્મચારીઓ માટે આવાસના 500 જેટલા મકાનો ફાળવામાં આવશે. અગાઉથી જ લાગી રહ્યું હતું કે દિવાળી પહેલા જ આવાસના મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે.
સરકારી કર્મચારીઓ માટે બનાવાયા 500 આવાસો
મહત્વનું છે આ વખતે દિવાળી 4 નવેમ્બરે છે તેને ધ્યાનમાં રાખીને રાજ્યના કર્મચારીઓનો પગાર પણ વહેલા કરવામાં આવે તેવા નિર્દેશ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યા છે. તેમજ રાજ્યના કર્મચારીઓને દિવાળી ખરીદી માટે બોનસ અને એડહોક બોનસ સહિતની આપવામાં આવ્યું છે. ત્યારે હવે ગાંધીનગર સેક્ટર 6માં બનેલા સરકારી આવાસોનું લોકાર્પણ કરી જર્જરિત આવાસમાં રહેતા કર્મચારીઓને નવા 560 આવાસ ફાળવાશે જેથી રાજ્યના કર્મચારીઓને ફાયદો થશે, મોંઘવારી અને વધતા ઈંધણના ભાવો વચ્ચે આ વખતે રાજ્યના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.