નોકરીયાત લોકો માટે ટૂંક સમયમાં સારાં સમાચાર આવવાના છે. આવતા મહિનેથી પીએફ ખાતામાં વધુ પૈસા આવી શકે છે. ચાલો જાણીએ ડિટેલ્સ.
6 કરોડ નોકરીયાત લોકો માટે સારાં સમાચાર
મળશે મોદી સરકારની મોટી ગિફ્ટ
PF ખાતામાં આવશે વધુ પૈસા
નોકરીયાત વર્ગ માટે ખુશખબરી આવવાની છે. આગામી મહિનાથી પ્રોવિટન્ટ ફંડ PFખાતામાં વધુ પૈસા આવી શકે છે. હકીકતમાંએપ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) તરફથી કર્મચારીઓને ટૂંક સમયમાં મોટી ખુશખબરી મળી શકે છે. કર્મચારીઓને નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજને જુલાઈના અંત સુધીમાં આપવાની ઘોષણા ટૂંક સમયમાં થઈ શકે છે. આ મામલામાં EPFOને શ્રમ મંત્રાલય તરફથી મંજૂરી મળી ચૂકી છે. આ પ્રક્રિયાને ટૂંક સમયમાં જ શરૂ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
6 કરોડથી વધુ કર્મચારીઓને મળશે ફાયદો
શ્રમ મંત્રાલય (Labour Ministry) તરફથી મંજૂરી મળ્યા બાદ PFના વ્યાપમાં આવનારા દેશભરના લગભગ 6 કરોડ કર્મચારીઓ માટે આ રાહતના સમાચાર હોઈ શકે છે. EPFO તરફથી ફિસ્કલ યર 2020-21 માટે 8.5 ટકાને જુલાઈના અંત સુધી આપવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વ્યાજના પૈસા કર્મચારીઓના એકાઉન્ટમાં સીધા ક્રેડિટ કરવામાં આવી શકે છે.
ગયા વર્ષે 2019-20નું વ્યાજ મળવામાં અનેક EPFO એકાઉન્ટ હોલ્ડર્સને 10 મહિના સુધી લાંબી રાહ જોવી પડી હતી. EPFOએ ફિસ્કલ યર 2020-21 માટે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યા વગર 8.5 ટકા પર બરકરાર રાખવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત EPFOએ દેશભરમાં કોરોના મહામારીની બીજી લહેરને કારણે એકાઉન્ટ હોલ્ડર્સને નોન રિફન્ડેબલ કોવિડ-19 એડવાન્સમાં પૈસા ઉપાડવાની મંજૂરી આપી હતી.