જો તમને મહિનામાં 25 હજાર રુપિયા જ પગાર મળે છે તો નિરાશ ન થાવ. તમન ફક્ત 25 રુપિયાના દાન પર સરકાર ભણતર, દવા અને લગ્ન સહિત 19 પ્રકારની સુવિધાઓ આપશે. આટલા ઓછા પગાર ધરાવતા શ્રમિકો માટે સરકારે મદદ માટે કેટલીક જોગવાઈ કરી છે. પરંતુ આની જાણકારીના અભાવે તેનો લાભ લઈ શકતા નથી. અનેક રાજ્યોમાં આ પ્રકારની સુવિધાઓ છે. આજે આપણે હરિયાણાની આવી જ યોજનાનો ઉલ્લેખ કરી રહ્યા છીએ.
શ્રમિકને 3 દીકરીઓના લગ્ન માટે 51-51 હજારની મદદ
મહિલા શ્રમિકો તથા શ્રમિકની પત્નીની ડિલીવરી પર 2 વાર 10-10 હજાર રુપિયા
શ્રમિકના બાળકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 2 હજારથી 31 હજાર રુપિયા સુધીની સુવિધા
આ યોજનામાં દર મહિને 75 રુપિયા સરકારના વેલ્ફેર ફંડમાં જમા કરાવવાના હોય છે જેમાં 25 રુપિયા વર્કરની સેલરીમાંથી કપાય છે અને 50રુપિયા કંપની તરફથી. દરેક ફેક્ટરીના ગેટ પર તેનું બોર્ડ લગાવવું ફરજિયાત છે. આ સ્કીમ તમારા માટે બહું કામની છે. જો કોઈ શ્રમિક મહિલા છે અને તેને લગ્ન કરવા છે તો 51 હજાર રુપિયા મળે છે. જો શ્રમિકની દીકરી છે તો 3 દીકરીઓના લગ્ન માટે 51-51 હજારની મદદ મળે છે. આ પૈસા લગ્નના 3 દિવસ પહેલા જ આપવામાં આવે છે.
ભણતર માટે મદદ
શ્રમિકને સંતાનોના ધો-1થી 12 સુધીના અભ્યાસ માટે સ્કૂલ ડ્રેસ, પુસ્તકો, નોટબૂક વગેરે ખરીદવા માટે 3થી 4 હજાર વર્ષના આપવમાં આવે છે. આ સુવિધા 2 છોકરી અને 3 છોકરીઓ માટે ઉપલબ્ધ છે.
છાત્રવૃત્તિ- આ તમામ સુવિધા 2 છોકરી અને 3 છોકરીઓ માટે ઉપલબ્ધ છે. 9માં ધોરણથી લઈને અન્ય ધોરણ સુધીના અભ્યાસ માટે 5 હજારથી લઈને 16 હજાર રુપિયા સુધી મળે છે.
શ્રમિકના બાળકોને કલ્ચરલ સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમજ સ્પોર્ટ્સમાં ભાગ લેવા માટે 2હજારથી 31 હજાર રુપિયા સુધીની સુવિધા મળે છે.
દવા માટે મદદ
મહિલા શ્રમિકો તથા શ્રમિકની પત્નીની ડિલીવરી પર 10-10 હજાર રુપિયા. બે વાર આપવામાં આવે છે.
શ્રમિકોને ચશ્મા માટે 1500 રુપિયાની મદદ
શ્રમિકોની સેવા દરમિયાન દુર્ઘટના અથવા અન્ય કારણોસર દિવ્યાંગ થવા જેવી સ્થિતિમાં 1.5 લાખ સુધીની મદદ.
શ્રમિકો અને તેમના આશ્રિતોના ડેંન્ટલ કેર તથા જડબુ લગાવવા માટે 4થી 10 હજાર સુધીની મદદ.
શ્રમિકોની કોઈ દુર્ઘટનામાં અપંગ થયેલા શ્રમિકોને તથા તેમના આશ્રિતોના આર્ટિફિસિયલ અંગો માટે મદદ મળે છે. પરંતુ સેલરી 20 હજાર રુપિયા હોવી જોઈએ.
બધિર શ્રમિકો તથા તેના બધિર આશ્રિતોને શ્રવણ મશીન માટે પાંચ વર્ષમાં 1 વાર 5 હજાર.
શ્રમિકોના દિવ્યાંગ બાળકોને 20થી 30 હજાર રુપિયા, આ અંતર્ગત સર્વિસ અને વેતનની સીમા નક્કી નથી.
દિવ્યાંગ શ્રમિકો તથા તેમના આશ્રિતોને તિપહિયા સાઈકલ માટ 7 હજાર રુપિયા.
અન્ય સુવિધાઓ માટે મદદ
મહિનામાં 18 હજાર રુ.નું વેતન મેળવનારા શ્રમિકોને દર 5 વર્ષે સાઈકલ ખરીદવા માટે 3 હજાર, પરંતુ સર્વિસ ઓછામાં ઓછી 2 વર્ષ કરેલી હોવી જોઈએ.
મહિલા શ્રમિકોને નવી સિલાઈ મશીન ખરીદવા માટે દર 5 વર્ષમાં એક વાર 3500 રુપિયા આપવાની જોગવાઈ છે.
5 વર્ષની સર્વિસ પર શ્રમિકોને 1500 રુપિયાની LTC સુવિધા
સંકટકાળમાં પરિવારને મદદ
કાર્યસ્થળ પર કામ કરતા સમયે મોત થવા પર આશ્રિતોને 5 લાખ રુપિયાની મદદ આપવામાં આવશે. જ્યારે કોઈ પણ અન્ય કારણથી મોત થવા પર વિઘવા અથવા આશ્રિતને 2 લાખ રુપિયાની રકમ આપવામાં આવશે. શ્રમિકનું કાર્ય સ્થળ પર કે બહાર કોઈ કારણે મોત થાય છે તો તેના દેહ સંસ્કાર માટે 15 હજાર આપવાની જોગવાઈ છે.