રિપોર્ટ અનુસાર હવે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) પર વ્યાજ દર વધારીને 8.15 ટકા કરવામાં આવ્યો છે, છેલ્લા નાણાકીય વર્ષ માટે આ વ્યાજ દર 8.10 ટકા હતો
EPFO એ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) પર વ્યાજ દરમાં વધારો કર્યો
વ્યાજ દર વધારીને 8.15 ટકા કરવામાં આવ્યો
છેલ્લા નાણાકીય વર્ષ માટે 8.10 ટકા વ્યાજ દર હતો
કરોડો ખાતાધારકોને સારા સમાચાર આપતા કેન્દ્ર સરકારના એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે EPFO એ 2022-23 માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) પર વ્યાજ દરમાં વધારો કર્યો છે.
વ્યાજ દર વધારીને 8.15 ટકા કરવામાં આવ્યો
એક રિપોર્ટ અનુસાર હવે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) પર વ્યાજ દર વધારીને 8.15 ટકા કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે સોમવારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOની બે દિવસીય બેઠક શરૂ થઈ હતી જે આજે એટલે કે મંગળવારે પૂરી થઈ છે. આ બે દિવસીય બેઠકમાં EPFOએ તેના સબ્સ્ક્રાઇબર્સ માટે 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પરના વ્યાજ દરની જાહેરાત કરી છે.
EPFO fixes 8.15 pc interest rate on employees' provident fund for 2022-23: Sources
છેલ્લા નાણાકીય વર્ષ માટે 8.10 ટકા વ્યાજ દર હતો
સૂત્રોના જણાવ્યા અનુસાર, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ 8.15 ટકાના દરે વ્યાજ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે છેલ્લા નાણાકીય વર્ષ માટે EPFO દ્વારા 8.10 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવી રહ્યું હતું. જો કે આ વ્યાજ દર છેલ્લા 40 વર્ષમાં સૌથી નીચો હતો અને સરકારના આ નિર્ણયનો ઘણો વિરોધ થયો હતો.
EPFOના લગભગ 6 કરોડ સભ્યો
જણાવી દઈએ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા આ વ્યાજ દરો નક્કી થતાં જ નાણા મંત્રાલયે આ વ્યાજ દરોની અસર માટે નોટિફિકેશન બહાર પાડવું પડશે. એક રિપોર્ટ અનુસાર EPFOના લગભગ 6 કરોડ સભ્યો છે અને EPFO કરોડો કર્મચારીઓના 27.73 લાખ કરોડ રૂપિયાનું સંચાલન કરે છે. એટલે દેશના 6 કરોડ ખાતાધારકોને ખૂબ જ સારા સમાચાર મળ્યા છે.
આજે શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવ 2022-23 માટે EPF દરની જાહેરાત કરી શકે છે.