ગીર સોમનાથમાં સોમનાથ દાદાના દર્શને જતા ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. મંદિર પર ધ્વજારોહણ માટે એક નવી સિસ્ટમ ઉભી કરાઈ છે.
યજમાન પોતાના હાથે જ ધ્વજારોહણ કરી શકશે
151 ફૂટ ઊંચાઈ પર ટ્રસ્ટના કર્મીને જવું પડતું હતું
ગરેડા-દોરડાની મદદથી ધ્વજારોહણ કરી શકાશે
ગીર સોમનાથમાં સોમનાથ દાદાના દર્શને જતા ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. મંદિર પર ધ્વજારોહણ માટે એક નવી સિસ્ટમ ઉભી કરાઈ છે.
મંદિર પર ધ્વજારોહણ માટે સિસ્ટમ ઉભી કરાઈ
મંદિરમાં ધ્વજારોહણ માટે એક સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેથી હવે યજમાન પોતાના હાથેથી જ ધ્વાજારોહણ કરી શકશે. આ અગાઉ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં માટે મંદિર ટ્રસ્ટના કર્મચારીઓને જ 151 ફુંટની ઉચાઈએ જવુ પડતું હતું પરતું હવે નવી સિસ્ટમ લાગુ થતા ગરેડા-દોરડાની મદદથી ધ્વજારોહણ યજમાન પોતાના હાથ ધ્વજારોહણ કરી શકશે.
આજે ટ્રસ્ટ દ્વારા આ રીતે પ્રથમ ધ્વજારોહણ કરાયું
આજે ટ્રસ્ટ દ્વારા નવી સિસ્ટમ દ્વારા પ્રથમવાર ધ્વજારોહણ કરાયું હતું. મહત્વનું છે કે સોમનાથ મંદિરમાં ખોડલધામના ટ્રસ્ટ નરેશ પટેલે નવી સિસ્ટમ દાનમાં આપી છે. આમ નવી સિસ્ટમ મળતા નરેશ પટેલની હાજરીમાં મંદિર ઉપર ધ્વજારોહણ કરાયું હતું.