નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓ અને પેન્શનધારકોને મળનાર મોંઘવારી ભથ્થુ 12 ટકા કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણય 1 જાન્યુઆરી 2019થી લાગૂ થશે જેનો લાભ 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મળશે. આ સિવાય કેબિનેટ રીજનલ રેપિડ ટ્રાંજિટ સિસ્ટમને મંજૂરી આપી છે જે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠને જોડશે.
કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા નાણામંત્રી અરૂણ જેટલીએ કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મળનાર મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવામાં આવ્યો છે. તેથી પહેલાથી મળનાર 9 ટકા મોંઘવારી ભથ્થુ 1 જાન્યુઆરી 2019થી 12 ટકા થઇ જશે.
તેમણે કહ્યું કે આ નિર્ણયથી દેશની તિજોરી પર 9168.12 કરોડ રૂપિયાનો બોજો પડશે. સરકાર આ નિર્ણયનો લાભ 48.41 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 62.03 લાખ પેન્શનધારકોને મળશે.