સાતમા પગારપંચનો લાભ મેળવી રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ટૂંક સમયમાં ખુશખબર મળી શકે છે. સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ)માં વધારો કરી શકે છે. સરકાર કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો વધારો કરવા માટે સક્રિય વિચારણા કરી રહી હોવાનું જાણવા મળે છે.
સાતમા પગારપંચનો લાભ મેળવી રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ટૂંક સમયમાં ખુશખબર મળી શકે છે
સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ)માં વધારો કરી શકે છે
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ)માં વધારો કરી શકે છે.
સરકારે જુલાઇ-૨૦૧૯થી ઓક્ટોબર-૨૦૧૯ સુધીના મોંઘવારીના આંકડા જારી કર્યા છે અને ત્યાર બાદ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થવાની શક્યતા પ્રબળ બની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓનું વર્ષમાં બે વખત ડીએ વધે છે. જાન્યુઆરી અને જુલાઇમાં મોંઘવારીના આંકડાના આધારે સરકાર નિર્ણય લે છે. આ સંજોગોમાં જાન્યુઆરી-૨૦૨૦માં કેન્દ્રીય કર્મચારીઓને ડીએ વધારાનો લાભ મળી શકે છે, જોકે સરકાર દ્વારા બેઝિક મિનિમમ પે વધારીને રૂ. ૧૮,૦૦૦ કરવાનો પ્રસ્તાવ હજુ સુધી લાવવામાં આવ્યો નથી.