કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના કરોડો કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યાં છે. EPFOના કરોડો કર્મચારીઓ PFના વ્યાજની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. તહેવારો પહેલા સભ્ય કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના ખાતામાં 8.5 ટકાના દરથી વ્યાજ નાખી શકાય છે.
EPFOના કરોડો કર્મચારીઓ માટે સારા સમાચાર
પ્રોવિડન્ટ ફંડના ખાતામાં 8.5 ટકા વ્યાજ આપશે
કર્મચારીઓ અને પેન્શનધારકોના ખાતામાં કરાશે ટ્રાન્સફર
8.5 ટકા વ્યાજ પર મંજૂરી
એક અહેવાલ મુજબ, બે સરકારી અધિકારીઓેએ જણાવ્યું કે સરકાર તરફથી જ્યારે કર્મચારીઓ અને પેન્શનધારકોના ખાતામાં મોંઘવારી ભથ્થુ આવશે. એ જ સમયે EPFO વ્યાજ પણ ખાતામાં ટ્રાન્સફર કરવાના છીએ. EPFOના સેન્ટ્રલ બોર્ડે 8.5 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. EPFOએ 8.5 ટકા વ્યાજ પર નાણાં મંત્રાલયની મંજૂરી માંગી છે. શક્ય છે કે ટૂંક સમયમાં નાણાં મંત્રાલય તેની પર મ્હોર લગાવી દેશે. નાણાંકીય વર્ષ 2020-21 માટે EPFOને જેવી નાણાં મંત્રાલય તરફથી 8.5 ટકા વ્યાજ પર મંજૂરી મળશે એવા કર્મચારીઓ અને પેન્શનધારકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
કુલ કર્મચારીઓની સંખ્યા 6 કરોડથી વધુ
મહત્વનું છે કે, EPFO 8.5 ટકા વ્યાજ આપી રહ્યું છે, જે બીજી નાની બચતની સરખામણીએ વધારે છે. જનરલ પ્રોવિડન્ટ ફંડ અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર 7.1 ટકા વ્યાજ મળે છે. જ્યારે નેશનલ સેવિંગ્સ સર્ટીફિકેટ પર 6.8 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. EPFOના કુલ કર્મચારીઓની સંખ્યા 6 કરોડથી વધુ છે અને આ કુલ ફંડના 15 ટકા ઈક્વિટીમાં રોકાણ કરે છે.