સાતમા પગારપંચના લાભ લઇ રહેલા સરકારી કર્મચારીઓને આગામી સમયમાં સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સરકાર ટૂંકમાં જ કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થામાં વધારો કરી શકે છે.
4 ટકાના વધારાથી પગારમાં રૂપિયા 720થી 10 હજાર વધે તેવી શક્યતા છે
4 ટકા વધારાની ચર્ચા કર્મચારી સંઘોમાં થઈ રહી છે સત્તાવાર જાહેરાત નથી
એવી શક્યતા છે કે જુલાઇ 2019થી લઇને ડિસેમ્બર 2019 વચ્ચે મોંઘવારી ભથ્થુ વધ્યા બાદ સરકાર આ પગલું ઉઠાવી શકે છે. મળતી માહિતી મુજબ સરકાર કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ 4 ટકા વધારી શકે છે.
કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વર્ષમાં બે વખત વધારો કરવાનો હોય છે. ત્યારે જાન્યુઆરી અને જુલાઇમાં વધી રહેલા મોંઘવારીના આધાર પર સરકાર આ નિર્ણય લે તેવી શક્યતા છે. એટલે કે આગામી વર્ષ 2020માં કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષની ભેટ મળી શકે છે.
મોંઘવારી ભથ્થામાં વધારો થાય તો એક કરોડ કેન્દ્રીય કર્મચારી અને 53 લાખ પેન્શનર્સને પણ લાભ થશે. ઓક્ટોબર 2019ના AICPI (All India Consumer Price Index) માં આંકડા 325 પર છે. એટલે સપ્ટેમ્બરથી તેમાં 3 પોઇન્ટનો વધારો થયો છે.