નવી દિલ્હીઃ હવામાન વિભાગે આગાહી રજૂ કરી છે કે વર્ષ 2018નું ચોમાસુ એકંદરે સારૂ રહેશે અને વર્ષ દરમિયાન દક્ષિણ-પશ્ચિમી ચોમાસુ લાંબા આયુષ્યમાં એકંદરે 97 ટકા રહેવાના આસાર છે. હવામાન વિભાગનું આ આંકલન જ્યાં ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર લઇ આવ્યું છે. કારણ કે આ દેશની મુખ્ય ખરીફ પાક મજબૂત હશે ત્યારે આ અનુમાન કેન્દ્રમાં સત્તાધારી મોદી સરકાર માટે મોટી રાહત લઇને આવશે. સારૂ ચોમાસું કેન્દ્ર સરકારને આગામી વર્ષ 2019માં થનારી સામાન્ય ચૂંટણી પહેલા પોતાના આર્થિક આંકડાઓ સુધારવાનો મોકો આપશે.
શું છે સારૂં ચોમાસું?
સામાન્ય સરેરાશ અથવા સારા ચોમાસાનો મતલબ છે કે 50 વર્ષના લાંબા આયુષ્યમાં સરેરાશ લગભગ 96 ટકાથી 104 ટકા વરસાદ થશે. 50 વર્ષોમાં સરેરાશ વરસાદ ચાર મહિનાના ચોમાસા દરમિયાન 89 સેન્ટીમીટર અથવા 35 ઇંચ વરસાદ છે. સારા વરસાદની આ વ્યાખ્યા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ત્યારે 90 ટકાથી ઓછા વરસાદથી દેશમાં દુષ્કાળની સ્થિતિ રહે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના કાર્યકાળ પહેલા બે વર્ષ 2014 અને 2015માં દુષ્કાળની સ્થિતિ રહી અને જેને લઇને દેશના આર્થિક આંકડાઓમાં મોટા પાયે ઘટાડો જોવા મળ્યો જેને લઇને કેન્દ્ર સરકારની ખુબ જ ટીકા કરાઇ હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 110 ટકા વરસાદથી અર્થવ્યવસ્થા માટે ઠીક નથી પરંતુ આનાથી નબળું ચોમાસુ જેવું નુકસાન જોવા નથી મળતું. વધુ વરસાદની સ્થિતિમાં પાક ખરાબ થવાનો ખતરો વધે છે અને દેશના કેટલાક વિસ્તારોમાં પુરની સ્થિતિ ઉભી થઇ જાય છે.
ચોમાસાનું મહત્વ
દેશમાં ચોમાસાની શરૂઆત 1 જૂનથી દક્ષિણ અંત કેરાલાના તટથી થાય છે અને જુલાઇના મધ્ય સુધી આ ચોમાસુ આખા દેશમાં છવાઇ જશે. આ ચોમાસુ દેશને કુલ વાર્ષિક વરસાદના લગભગ 70 ટકા મળે છે. આ વરસાદથી દેશમાં મુખ્ય ખરીફ પાક ચોખા ઘઉં શેરડી તલ અને સોયાબીનના પાક ઉત્પાદન નિર્ધારિત થાય છે. આ પાક પર આધારિત દેશનો કૃષિ ક્ષેત્ર કુલ જીડીપીના 15 ટકા છે અને લગભગ દેશની અડધી જનસંખ્યાને રોજગારી આ ક્ષેત્રોમાં મળે છે.
તેથી દેશમાં સારા ચોમાસુ ઉપજ વધારતા આના પર આધારિત દેશની 50 ટકા જનસંખ્યાની વાર્ષિક આવકમાં વધારો કરે ચે. ત્યારે આ જનસંખ્યાની વધેલી આવકના આધારે દેશમાં ગ્રાહક ઉત્પાદનોની માંગમાં મોટો નફો થાય છે. આ ચક્ર આગળ ચાલીને દેશમાં કૃષિથી જોડાયેલ કંપનિઓના શેર ભાવોમાં વધારો કરે છે આની સાથે ગ્રામીણ ભારતમાં ઓટો મોબાઇલ(મોટર સાઇકલ ટ્રેક્ટર થ્રેસર વગેરે)ની માંગમાં મોટો નફો કરે છે.
સુધરશે આર્થિક આંકડાઓ
દેશમાં જૂનથી જૂલાઇ સુધી ચાલનારા સારા ચોમાસાથી અર્થવ્યવસ્થાના કેટલાક ક્ષેત્રોમાં અસર પડે છે. ખાદ્ય ઉત્પાદનમાં ભારત આત્મ નિર્ભર છે. જો કે સારૂ ચોમાસું જ્યાં ખરીફ પાકનું ઉત્પાદન વધે છે. ત્યારે ખરાબ ચોમાસું અને દુષ્કાળની સ્થિતિમાં સરકાર ખાદ્ય સામગ્રી આયાત કરવા માટે મજબૂર થઇ જાય છે. જો કે સારુ ચોમાસુ સરકારનો આયાત ખર્ચ ઓછો કરે છે. આ ખર્ચને કેન્દ્ર સરકાર દેશમાં ઇન્ફ્રા ડેવલોપમેન્ટ અથવા મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સ્વતંત્ર રહે છે.
મોંઘવારી પર લાગશે બ્રેક
ઉલ્લેખનીય છે કે દેશમાં સામાન્ય ચૂંટણી એપ્રિલ-મે 2019 દરમિયાન કરાવવાની સંભાવનાઓ છે. આ સમય સુધી સારૂ ચોમાસુ પોતાનું કામ કરી ચૂક્યું છે અને ખેડૂત સારો ખરીફ પાકથી વધેલી આવક બાદ સારા રવિ પાકની આશા લગાવીને બેઠા હશે. સામાન્ય ચૂંટણીઓ પહેલા આ ડબલ બોનસ મોદી સરકારની એક વાર ફરી સત્તામાં વાપસી કરવામાં મદદ કરી શકે છે. સારા ચોમાસાથી દેશના કેટલાક આર્થિક આંકડાઓમાં સુધારો દાખલ થશે ત્યારે આ દરમિયાન કેન્દ્ર સરકારને મોંઘવારીના ક્ષેત્રે પણ મોટી રાહત જોવા મળશે. જો કે આ આર્થિક આંકડાના સહારે કોઇ સત્તાધારી સરકારને પોતાના જનાદેશ પોતાના પક્ષમાં કરવામાં વધુ મોટા પડકારનો સામનો નહીં કરવો પડે.