31 ઓગસ્ટથી શુક્રની સિંહ રાશિ સાથે યુતિ બનશે. બંને ગ્રહોની આ યુતીનો લાભ ઘણી રાશિઓને મળશે.
ગણેશ ચતુર્થીથી બદલાઈ જશે કિસ્મત
આ 4 રાશિના લોકોને થશે ફાયદો
રહેશે માતા લક્ષ્મીની કૃપા
જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, વૈભવ, ઐશ્વર્ય, સુખ-સમૃદ્ધિ અને પ્રેમનો કારક માનવામાં આવ્યો છે. શુક્ર તુલા અને વૃષભ રાશિનો સ્વામી ગ્રહ છે. મીન રાશિને ઉચ્ચ અને કન્યા રાશિને નીચી માનવામાં આવે છે. 31 ઓગસ્ટે શુક્રનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે.
આ દિવસે દેશભરમાં ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવારની પણ ઉજવણી કરવામાં આવશે. આવી સ્થિતિમાં ગણેશ ચતુર્થીના દિવસે શુક્ર કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જાણો ગણેશ ચતુર્થીના દિવસે કઈ રાશિના 'અચ્છે દિન'ની શરૂઆત થશે.
મેષ
મેષ રાશિના લોકો માટે શુક્રનું ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ સમયગાળા દરમિયાન તમને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ મળશે. પિતાના કાર્યમાં તમારા સહયોગની પ્રશંસા થશે. પરિવારના કોઈ સભ્ય તરફથી તમને ભેટ મળી શકે છે. રોકાણ માટે સમય અનુકૂળ રહેશે.
વૃષભ
શુક્રનું પરિવર્તન વૃષભ રાશિના લોકો માટે શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમને પ્રગતિ મળી શકે છે. પાર્ટનરશિપના કામોમાં સફળતા મળશે. પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે છે.
સિંહ
શુક્ર રાશિ પરિવર્તન સિંહ રાશિના લોકો માટે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ સમયગાળા દરમિયાન તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. અવિવાહિતોના લગ્ન નક્કી થઈ શકે છે. તમે પૈસા એકઠા કરવામાં સફળ થશો. કરિયરમાં આગળ વધવાની તક મળશે.