ગત વર્ષે ચોમાસુ નબળું રહેતા ગોંડલ શહેરના જીવાદોરી સમાન વેરી તળાવના તળિયા ઉનાળાની શરૂઆતમાં જ દેખાયા હતા, જેની સામે પૂર્વ ધારાસભ્યએ રાજ્ય સરકારને ધારદાર રજૂઆત કરતા ગોંડલના વેરી તળાવમાં નર્મદાના નીર ઠાલવવામાં આવ્યા છે.
ગોંડલની જીવાદોરી ગણાતા વેરી તળાવમાં નર્મર્દાના નીર ઠલવાતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે. તો સાધુસંતોએ પણ પાણીના વધામણા કર્યા છે, 9.5 ફૂટની ઊંચાઇ ધરાવતા વેરી તળાવમાં નર્મદાના નીરનું આગમન થતા જ ઓવરફ્લો થયો.
વેરી તળાવ સાડા નવ ફુટની ઊંડાઈ ધરાવે છે અને છેલ્લા વિસ દિવસમાં 162 MCFT પાણી આવતા આજે ઓવરફ્લો થયું છે. છેલ્લા 20 દિવસમાં વેરી તળાવમાં 162 MCFT પાણી ઠાલવવામાં આવ્યું છે. સૌની યોજના મારફતે વેરી તળાવ બાદ હવે ભાદર ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવશે. સૌની યોજના દ્વારા ગોંડલ, જેતપુર સહિતના તાલુકાઓમાં પાણી પહોંચાડવામાં આવશે.