ગોંડલના માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા કોરોનાની બીમારીમાં સંક્રમિત બાદ તેમણે કોરોનાને મહાત આપી હતી. તેઓ સ્વસ્થ થતા તેમણે રિબડા ગામની તમામ જ્ઞાતીઓને બહેનોને મોટું દાન કર્યું હતું.
ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર દીકરીઓને કરોડોનું દાન
સોશિયલ મીડિયામાં દાનનો વીડિયો વાયરલ થયો
ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાએ કર્યું દાન
ગોંડલ તાલુકાના રિબડા ગામે રહેતા માજી ધારાસભ્ય માહિપતસિંહ જાડેજા છેલ્લા ઘણા દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. તેમની તબિયત નાદુરસ્ત થતા તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ પોતાના ઘરે હોમ ક્વોરોન્ટાઇન થયા હતા. પોતાના નિવાસ સ્થાને ICU જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
માજી ધારાસભ્ય માહિપતસિંહ જાડેજા બહોળો મિત્ર વર્ગ ધરાવે છે. તેમના મિત્ર વર્તુળમાં સૌ કોઈમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે આજરોજ 15 દિવસ બાદ કોરોનાને મ્હાત આપી હતી. સંપૂર્ણ સ્વસ્થ થયા હતા. ત્યારબાદ તેમણે દીકરીઓને રોકડા કરોડો રૂપિયા વહોંચ્યા હતા. મહિપતસિંહ બાપુએ તેમની જમા પૂંજીમાંથી ગામ, સગા સંબંધીઓ અને ગરીબ દીકરીઓને લાખો રૂપિયાનું દાન આપ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ કહેતા સંભળાય છે કે કોઇને પણ કશીય બીમારી માટે રૂપિયાની જરૂર હોય તો હું આપીશ.
ગોંડલના માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા કોરોનાની બીમારીમાં સંક્રમિત બાદ તેમણે કોરોનાને મહાત આપી હતી. તેઓ સ્વસ્થ થતા તેમણે મોટું દાન કર્યું હતું.#Rajkot#Gujaratpic.twitter.com/RcHHzBh2vp
સંપૂર્ણ આત્મબળથી સામનો કરો એટલે કોરોના મુક્ત થઈ જશોઃ મહિપતસિંહ જાડેજા
તેમણે જણાવ્યું હતું કે કોરોના એક ભયંકર રોગ છે, પરંતુ માણસ જો પોતાની આત્મ શક્તિથી પ્રબળ સામનો કરે તો સામાન્ય રોગ છે. લોકોને અપીલ કરવામાં આવી હતી કે કોરોનાથી ડરવાની જરૂર નથી, લોકો સંપૂર્ણ આત્મબળથી સામનો કરો એટલે કોરોના મુક્ત થઈ જશો. તેમજ ભારત સરકાર દ્વારા જે કોરોના વેક્સિન બહાર પાડવામાં આવી છે. વધુમાં વધુ લોકો લે તેવી અપીલ કરવામાં આવી છે. વધુમાં માજી ધારાસભ્ય માહિપતસિંહે જણાવ્યું હતું કે કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા પરિવારને મેડિકલ સહાયની જરૂર હશે તો અમે હંમેશા તત્પર રહેશું. તેમજ તેમની પાસે જે કાંઈ મરણ મૂડી હતી તે આજરોજ તેમના પરિવારના સભ્યો તેમજ બહેનો, દીકરીઓને કન્યાદાન રૂપે આપવામાં આવ્યું હતું.