16 ફેબ્રુઆરી 2021ના રોજ મૂળ UPના આરોપીએ નેપાળી પરિવારના 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું
સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારને સજા
ગોંડલની કોર્ટે આરોપીને 20 વર્ષની સજા કરી
16 ફેબ્રુઆરી 2021માં બન્યો હતો બનાવ
ગુજરાતમાં ચોરી લૂંટફાટ,હત્યા, દુષ્કર્મની ઘટનામાં અતિશય વધારો થયો છે. છેલ્લા ઘણા સમયથી તમામ કોર્ટે પણ ખાસ કરીને હત્યા અને દુષ્કર્મના બનાવોમાં કડક વલણ અપનાવ્યું છે. અને એક બાદ એક દોષિતોને કડકમાં કડક સજાની ફરમાન જાહેર થઈ રહ્યું છે. ત્યારે ગોંડલ કોર્ટે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર કોર્ટે 20 વર્ષની સજાનું એલાન કર્યું છે.
7 વર્ષના બાળક સાથે UPના શખ્સે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું
16 ફેબ્રુઆરી 2021ના રોજ શાપર વેરાવળમાં સાત વર્ષના બાળકને આરોપીએ બદઈરાદાથી અપહરણ કરી લીધું હતું. ગોંડલ વિસ્તારમાં લાવી બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. નેપાળી પરિવારના 7 વર્ષના બાળક પર કરેલા અમાનુષી અત્યાર બાદ UPનો આરોપી ફરાર થઈ ગયો હતો. જે બાદ તએની ઘરપડક કરી ગુનો નોંધી કોર્ટ સમક્ષ રજૂ કરતાં આજે ગોંડલ કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી છે.
શું છે સમગ્ર કેસ?
16 ફેબ્રુઆરીને 2021ના રોજ વેરાવળ નજીકની હદમાં આવેલ GIDCમાં નોકરી કરનાર નેપાળી પરિવારનો 7 વર્ષનો બાળક રાત્રિના અંધકાર પાસે પોતાના ગેલમાં રમી રહ્યો હતો. ત્યારે તે જ GIDCમાં કામ કરતો આરોપી દિલીપ જવાહરલાલ સરોજે 7 વર્ષનો બાળકનું અપહરણ કરી લીધું હતું. અને દર્શન સ્ટોરેજ કારખાનાની ઓફિસમાં લઈ જઇ સાત વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું હતું. જેની જાણ પરિવારને થતાં પરિવારએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.
પોકસો એક્ટ હેઠળ થઈ કાર્યવાહી
હવસખોર આરોપી નાના બાળકને પોતાની હવસનો શિકાર કરી નાસી છૂટયો હતો. જે બાદ પોલીસે યુપી પોલીસની મદદથી આરોપીને ધર દબોચી લીધો હતો. અને કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો જેમાં ફરિયાદી પક્ષ તરફથી વકીલે દલીલ કરી હતી કે ગુનાહિત કૃત્ય આચરનાર આરોપી દિલીપ જવાહરલાલ સરોજે મગજમાં ક્રિમિનલ સાઇકોલોજી ડેવલોપ કરી માસૂમ બાળક સાથે અમાનુષી અત્યાચાર કરી દુષ્કર્મ આચર્યું હતું. જેની બાળકના માનસ પર ગંભીર અસર પડી હતી.જે બાદ પોલીસ તપાસ કરી કેસ માટે સબૂત એકઠા કરી લાવેલા PIની પણ જુબાની લેવામાં આવી હતી. પોકસો એક્ટ હેઠળ થયેલી આ કાર્યવાહીમાં જજ વી.કે.પાઠકે નરાધમ આરોપીને 20 વર્ષની કેદની સજા સંભળાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.