3 મેના રોજ દેશમાં લૉકડાઉનનો બીજો તબક્કો પૂરો થતાં, કેટલીક કડક શરતો સાથે ગ્રીન ઝોન તરીકે ચિહ્નિત થયેલ વિસ્તારોને છૂટ આપવાની કવાયત શરૂ થઈ ગઈ છે. જો કે, કોરોના વાયરસ ચેપથી ખરાબ રીતે પ્રભાવિત રેડ ઝોન વિસ્તારોને હાલમાં રાહત આપવામાં આવશે નહીં. મંત્રીઓનું જૂથ (GOM) દિલ્હી, મુંબઇ, નોઈડા, ઇન્દોર સહિત કેટલાક અન્ય 'હૉટસ્પોટ' શહેરો માટે એક અલગ રોડમેપ તૈયાર કરી રહ્યું છે. કયા શહેરોમાં, આગળની આર્થિક પ્રવૃત્તિઓને કયા પ્રકારની છૂટ આપવામાં આવે તે અંગે સતત ચર્ચા ચાલી રહી છે. હૉટસ્પોટ વિસ્તારોને પહેલાની જેમ સીલ કરવામાં આવશે.
લૉકડાઉન 2.0ને લઈને આજે લેવાશે નિર્ણય
ગ્રીન ઝોનમાં કેટલીક શરતો સાથે અપાઈ શકે છે છૂટછાટ
હૉટસ્પોટ શહેરો માટે હશે અલગ રોડમેપની વ્યવસ્થા
મળતી માહિતી અનુસાર 3 મે પછી ગ્રીન ઝોનમાં લૉકડાઉન કાયમ નહીં કરવાનો સરકાર વિચાર કરી રહી છે. કોરોના સાથે વ્યવહાર કરવા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી GOM સૈદ્ધાંતિક રૂપે આમ કરવા માટે સહમતિ આપી છે. ગ્રીન ઝોનમાં એવા ક્ષેત્ર કે જે ચેપ મુક્ત છે અથવા ફક્ત આંશિક પ્રભાવિત છે તેમને રાખવામાં આવ્યા છે.
લૉકડાઉન હટાવ્યા પછી આ નિયમોનું પાલન રહેશે ફરજિયાત
આ વિસ્તારોમાં લૉકડાઉન ઉપાડવામાં આવશે, પરંતુ સ્થાનિક રહેવાસીઓએ માસ્ક પહેરવા અને સામાજિક અંતરને વળગી રહેવાની સહિતની અનેક કડક શરતોનું પાલન કરવું પડશે. આમ કરવામાં નિષ્ફળતા દેખાશે તો આ વિસ્તારમાં ફરીથી લૉકડાઉન કરાશે. મળતી માહિતી અનુસાર લૉકડાઉન પછી પણ રેલ્વે, એરલાઈન્સ અને આંતરરાજ્ય બસ સેવાઓ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે. જો કે, બુધવારે GOM પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરશે.
ચાલુ રહેશે આ નિયમો
ઘરની બહાર જતાં માસ્ક જરૂરી અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન અનિવાર્ય
લગ્ન, ધાર્મિક આયોજન, સમારોહ, જનસભા પર રહેશે પાબંદી
સીમિત કર્મચારીઓની સાથે ખોલી શકાશે કાર્યાલય
આવશ્યક સેવાઓ સાથેની વસ્તુઓને મળશે વેગ
મુખ્ય બજારોની દુકાનોને ભીડ વિના વેપાર કરવાની મળશે છૂટ
દરેક મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે પીએમ મોદી
લૉકડાઉનનો બીજો તબક્કો પૂરો થાય તે પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી વિવિધ પક્ષોના નેતાઓ સાથે અલગ બેઠક કરશે. વડાપ્રધાન આ પહેલા પણ બે વખત મુખ્યમંત્રીઓ સાથે વર્ચુઅલ મીટિંગો કરી ચુક્યા છે. 3 મે પછી મુખ્યમંત્રીઓ, નિષ્ણાતો અને વિવિધ પક્ષોના નેતાઓનો અભિપ્રાય લીધા પછી વડાપ્રધાન વ્યૂહરચનાના આધારે અંતિમ નિર્ણય લેશે.