સરકારી અનાજ કોણ અને ક્યારે ફેંકી ગયું તે બાબતે કોઈ વિગતો સામે નથી આવી. સ્થાનિકોમાં આ અનાજ આંગણવાડી અને રેશનિંગનો જથ્થો હોવાનું અનુમાન
લાટી ગામના તળાવમાંથી મળ્યો સરકારી અનાજનો જથ્થો
આંગણવાડી અને રેશનિંગનો જથ્થો હોવાનું અનુમાન
તળાવમાંથી સરકારી અનાજનો જથ્થો મળતા અનેક સવાલો
વેરાવળના લાટી ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના તળાવમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવતા હડકંપ મચી ગયો છે. ઘટનાને લઈ ગ્રામજનો સહિતના સ્થળ પર પહોંચી તંત્રને જાણ કરી હતી. જોકે હજી સુધી આ સરકારી અનાજ કોણ અને ક્યારે ફેંકી ગયું તે બાબતે કોઈ વિગતો સામે નથી આવી. સ્થાનિકોમાં આ અનાજ આંગણવાડી અને રેશનિંગનો જથ્થો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.
તળાવમાંથી સરકારી અનાજનો જથ્થો મળ્યો
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકના લાટી ગામમાં ળાવમાંથી સરકારી અનાજનો જથ્થો મળ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈ ગ્રામજનો અને તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આ સાથે તળાવમાં સરકારી અનાજ કોણે ફેંક્યુ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
આંગણવાડી અને રેશનિંગનો જથ્થો હોવાનું અનુમાન
લાટી ગામમાં તળાવમાંથી સરકારી અનાજનો જથ્થો મળ્યાનું જાની ગામલોકો તળાવ આગળ ઉમટી પડ્યા હતા. જે બાદમાં હવે આ અનાજ આંગણવાડી અને રેશનિંગનો જથ્થો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જોકે હજી સુધી આ મામલે કોઈ ચોક્કસ વિગત સામે આવી નથી.
તળાવમાંથી સરકારી અનાજનો જથ્થો મળતા અનેક સવાલો
લાટી ગામમાં તળાવમાંથી સરકારી અનાજનો જથ્થો મળતા અનેક સવાલો ઊભા થયા છે. મોટી માત્રામાં સરકારી અનાજનો જથ્થો તળાવમાં કઈ રીતે પહોંચ્યો ? તળાવમાં સરકારી અનાજનો જથ્થો કોણે ફેંક્યો ? શું યોગ્ય જાળવણીના અભાવે અનાજ ખરાબ થઈ જતા ફેંકી દીધું ? આવા બેદરકાર લોકો સામે તંત્ર ક્યારે લેશે એક્શન ? અને ગરીબોને રાહત દરે મળતું અનાજ આ રીતે વેડફવુ કેટલું યોગ્ય? સહિતના સવાલો હાલતો પંથકમાં ઊભા થયા છે.