બુધવારે એટલે કે આજે સોના અને ચાંદીની કિંમતોમાં સતત બીજા દિવસે વધારો જોવા મળ્યો છે. જાણકારોનું કહેવું છે કે 14 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ખરમાસ છે અને આ સમયે શુભ કાર્યો થઈ શકતા નથી. તેથી સોના અને ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.
બુધવારે સતત બીજા દિવસે વધી સોનાની કિંમત
ખરમાસના કારણે ગ્રાહકો ઘટયા
સતત વધ્યા સોના અને ચાંદીના ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સવારે 10 વાગે લગભગ 107 રૂપિયાના વધારા સાથે સોનાનો ભાવ 49550.00 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. તો ચાંદીમાં પણ 324 રૂપિયાનો વધારો આવવાની સાથે નવો ભાવ 65177.00 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો. ગઈકાલે સોનું 49443 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતુ અને આજે ઓપનિંગ સમયે તે 49566 રુપિયા હતું.
મંગળવારે પણ વધ્યા હતા સોના અને ચાંદીના ભાવ
દિલ્હીના સર્રાફા બજારમાં મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાની સાથે રૂપિયામાં ઘટાડો આવતાં સોનું 514 રૂપિયાના વધારા સાથે 48847 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. એચડીએફસી સિક્યોરિટીઝની તરફથી મળતી માહિતી અનુસાર ચાંદીની કિંમતમાં પણ 1046 રૂપિયાનો વધારો થયો અને તે 63612 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
સોનું આ વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું
સોનું આ વર્ષે 57100ના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું છે. આ રીતે જોતાં સોનું સૌથી ઉંચા સ્તરથી 7000 રૂપિયાથી પણ વધારે સસ્તું છે. અમેરિકામાં વધારે આર્થિક પ્રોત્સાહન લાગૂ કરવાની આશા સાથે સોના અને ચાંદીની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. એમસીએક્સ પર ફેબ્રુઆરીનો સોના વાયદો 0.26 ટકા વધીને 49571 પર પહોંચ્યો છે અને ચાંદીનો વાયદો 0.6 ટકા વધીને 65230 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. ગયા સત્રમાં સોનું 530 કે 1.1 ટકા પ્રતિ 10 ગ્રામ ઉછળ્યો અને ચાંદીમાં પણ 2 ટકાનો વધારો થયો હતો.
આ કારણે વધી રહ્યા છે સોના અને ચાંદીના ભાવ
ખરમાસના કારણે સોના અને ચાંદીની ખુદરા ડિમાન્ડ પર આવનારા મહિના સુધી અસર જોવા મળી શકે છે. 14 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ખરમાસ છે. એવામાં લગ્ન વિવાહના કોઈ શુભ કામ થઈ શકશે નહીં. જાણકારોનું કહેવું છે કે આ સમયે ખરીદી પર પણ અસર જોવા મળશે અને તેની અસર ડિમાન્ડ પર જોવા મળશે.