ધનતેરસના દિવસે ગુરુવારે દિલ્હીના સર્રાફા બજારમાં સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીએ જાણકારી આપી છે કે ગુરુવારે સોનાના ભાવમાં 81 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો આવ્યો છે.તો ચાંદીના ભાવ પણ સપાટ રહ્યા હતા. આંતરરાષ્ટ્રિય બજારોમાં પણ સોના ચાંદીના સપાટ કારોબાર રહ્યા હતા. જાણકારોનું કહેવું છે કે તહેવારોની સીઝનમાં બંને ધાતુઓમાં કોઈ ખાસ ફેરફાર આવશે નહીં.
ગુરુવારે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો
ધનતેરસે જાણી લો સોના અને ચાંદીના નવા ભાવ
તહેવારોની સીઝનમાં ભાવમાં ખાસ ફેરફાર આવશે નહીં
એચડીએફસી સિક્યોરિટીઝનું કહેવું છે કે તહેવારની સીઝનમાં સોનું અને ચાંદી લગભગ આ ભાવની આસપાસ રહેશે. તેમાં કોઈ મોટા ફેરફાર આવશે નહીં. આ સાથે જ રોકાણકારોનું પણ માનવું છે કે સોના અને ચાંદીના ભાવમાં મોટો ફએરફાર આવશે નહીં. તેઓએ એમ પણ કહ્યું કે દિવાળીમાં દેશભરમાં લોકો તૈયારીઓમાં લાગ્યા છે. હિંદુ કેલેન્ડરમાં સોના ચાંદી જેવી કિંમતી વસ્તુથી લઈને વાસણો ખરીદવા માટે ધનતેરસને શુભ માનવામાં આવે છે. આ સાથે જ આ વર્ષે દેશમાં ગુરુવાર અને શુક્રવાર 2 દિવસ ધનતેરસની ઉજવણી થઈ રહી છે.
સોનાની નવી કિંમતો
ધનતેરસે સોનું 81 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું. આ પછી નવો ભાવ રૂ. 50057 રહ્યો છે. આ પહેલા કારોબારી સત્રમાં સોનું 50138 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આંતરરાષ્ટ્રિય બજારમાં સોનાનો ભાવ 1865 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યો હતો.
ચાંદીની નવી કિંમતો
ગુરુવારે ચાંદીની કિંમતમાં 4 રૂપિયાનો સામાન્ય ઘટાડો પ્રતિ કિલોગ્રામે નોંધાયો હતો. આ સાથે જ નવો ભાવ 62037 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. આ પહેલાં તે 62041 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. આંતરરાષ્ટ્રિય બજારમાં પણ સપાટ કારોબાર જોવા મળ્યો હતો. ચાંદીનો નવો ભાવ અહીં 24.09 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો.