કોરોનાની ત્રીજી લહેર આવે છે તેમ તેમ માર્કેટ પર પણ અસર થઇ રહી છે. સોનાના ભાવમાં પણ ચડાવ-ઉતાર થઇ રહ્યો છે.
સોના ચાંદીનો આજનો ભાવ જાણો
અમદાવાદમાં શું છે સોનાનો ભાવ
હૉલમાર્કવાળી જ્વેલરી ખરીદવાના ફાયદા
અમદાવાદમાં સોનાનો ભાવ
અમદાવાદમાં સોનાનો આજનો ભાવ 49,310 રૂપિયા રહ્યો જ્યારે ચાંદીનો ભાવ 63,840 રૂપિયા રહ્યો હતો.
સર્રાફા બજારમાં સોનાની વસ્તુઓ ખરીદતા સમયે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. સોનાની શુદ્ધતાને લઇને લોકો અલગ અલગ પ્રકારના વિચાર ધરાવે છે. ઘણીવાર જ્વેલર પણ તમને મૂર્ખ બનાવીને ભેળસેળ વાળું સોનું પધરાવી દેતા હોય છે.
હૉલમાર્ક જ્વેલરીના ફાયદા
હૉલમાર્કવાળી જ્વેલરી ખરીદવા પર નકલી સોનાના ચાન્સ ઓછા રહે છે.
હૉલમાર્કવાળા દાગીના વેચવા પર જ્વેલર્સ ડિપ્રેસિએશન કોસ્ટ કાપતા નથી
જ્યારે પણ તમે દાગીના વેટવા જાઓ છો ત્યારે તમને સારો ભાવ મળી રહે છે.
શું છે 22 અને 24 કેરેટમાં અંતર
24 કેરેટ ગોલ્ડ 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુધ્ધ હોય છે. 22 કેરેટ ગોલ્ડમાં 9 ટકા ધાતુ જેમ કે તાંબુ, ચાંદી, જિંક ભેળવીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોના અદભૂત હોય છે પરંતુ તેનાથી આભૂષણ નથી બનાવી શકાતા. એટલા માટે મોટા ભાગે દુકાનદાર 22 કેરેટ સોનું વેચે છે.
મિસ કોલ કરી આ રીતે જાણો સોનાના ભાવ
ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.