દેશમાં કોરોના વાયરસના કહેર વચ્ચે અર્થતંત્ર ડામાડોળ છે. એવામાં સોનાની કિંમતો સતત વધી રહી છે. હાલમાં સોનાની કિંમતમાં વધારાના કારણે કિંમતો પચાસ હજારને નજીક છે એવામાં અહેવાલો મુજબ સોનાની કિંમતો દિવાળી સુધી 80 હજારને નજીક જઈ શકે છે. નોંધનીય છે કે કોરોનાનાં કારણે મોટાભાગનાં રોકાણકારો સુરક્ષિત રોકાણના રૂપે સોનામાં રોકાણ કરી રહ્યા છે.
ભાવ ખૂબ જલ્દી 50 હજારને પાર થઇ જાય તેવી સંભાવના
ઐતિહાસિક સ્તર પર છે સોનાની કિંમતો
દિવાળી સુધી કિંમતો 80 હજાર સુધી જશે તેવું અનુમાન
કોરોના સંકટમાં લોકડાઉન દરમિયાન દેશમાં સોનાની કિંમતોમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો હતી. કિંમતોમાં ઉછાળાનાં કારણે સોનું હજાર નજીક પહોંચી ગયું છે અને નિષ્ણાતોનું માનીએ તો ભાવ ખૂબ જલ્દી 50 હજારને પાર થઇ જાય તેવી સંભાવના છે. આટલું જ નહીં નિષ્ણાતો અનુસાર તો દિવાળી સુધી સોનાની કિંમતો 80 હજાર સુધી પહોંચી જાય તેવું અનુમાન છે.
મંગળવારે દિલ્હીમાં દસ ગ્રામ સોનાની કિંમત 48,931 રૂપિયા હતી. આખા વિશ્વમાં કોરોના વાયરસ મહામારીના કારણે અર્થવ્યવસ્થાઓ પડી રહી છે જેની અસર સોના પર પડી રહી છે. એવામાં સોનાની કિંમતો સતત વધી રહી છે. ઈતિહાસમાં પહેલીવાર સોનાની કિંમતો 49900 રૂ.પર પહોંચતા ટૂંક સમયમાં પચાસ હજારને પણ પાર થઇ જશે તેવી પૂરી સંભાવના છે.
મીડિયા અહેવાલો મુજબ નિષ્ણાતોનું માનવું છે કે કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં દેશોમાં લોકડાઉનના કારણે સુરક્ષિત રોકાણની માગ વધી છે. એવામાં રોકાણકારો માટે સોનું એ પહેલી પસંદ છે. બીજી તરફ વેપારીઓની ચિંતા પણ વધારો થયો છે કારણ કે લગ્નમાં પણ મોટા ભાગના લોકો નવું સોનું ખરીદવાનું ટાળી રહ્યા છે.