સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે એક નોટિફિકેશન બહાર પાડીને જાણ કરી હતી કે સોના, ચાંદી, હીરા, ઝવેરાત અને કિંમતી પથ્થરો આ તમામને નિયંત્રિત ડિલિવરી સૂચિમાં મૂકવામાં આવ્યા.
સંબંધિત અધિકારીની જાણ બહાર કિંમતી ધાતુઓની આયાત નિકાસ પર રોક
શંકાસ્પદ શિપમેન્ટમાં ટ્રેકિંગ ડિવાઈસ પણ ઈન્સ્ટોલ કરાશે
સોનું ચાંદી હવે કસ્ટમની દેખરેખમાં
જો તમને સોનું, ચાંદી ખરીદવામાં રસ હોય તો આ સમાચાર તમારા માટે છે. સરકાર દ્વારા એક નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ સોના, ચાંદી, હીરા, ઝવેરાત અને કિંમતી પથ્થરોને નિયંત્રિત ડિલિવરી સૂચિ તરીકે ઓળખાતી કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. આને ડ્રગ્સ, એન્ટિક્સ, સિગારેટની સાથે નિયંત્રિત ડિલિવરી સૂચિમાં મૂકવામાં આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે 12 જુલાઈ, મંગળવારે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.
શું છે પ્રક્રિયા
આનો અર્થ એ થયો કે સંબંધિત અધિકારીની જાણ બહાર કિંમતી ધાતુઓની નિકાસ અને આયાત કરી શકાશે નહી. કોઈ પણ સંબંધિત અધિકારીઓની દેખરેખ અને માહિતી રાખ્યા પછી જ તેને ભારતની બહાર મોકલી શકાય છે અથવા ભારત લાવી શકાય છે. તેને આ યાદીમાં મૂકવાનો હેતુ સરકારને સોના, ચાંદી, કિંમતી પથ્થરો, હીરા, ઝવેરાત વગેરેના વિદેશમાં મોકલવાની શિપમેન્ટથી વાકેફ અને જાણકારી રાખવાનો છે. જો સંબંધિત અધિકારીને કોઈ કન્સાઈનમેન્ટ કે શિપમેન્ટની શંકા હોય તો તે તેમાં ટ્રેકિંગ ડિવાઈસ પણ ઈન્સ્ટોલ કરી શકે છે.
કસ્ટમ્સ અધિકારીની ઉપર વધશે જવાબદારી
નિયંત્રિત ડિલિવરી નિયમો હેઠળ વર્ગીકૃત કરવામાં આવેલા રેવન્યુ ઓથોરિટી ઓફિસર વિદેશી ઓથોરિટી સાથે વાટાઘાટો કર્યા પછી અને સંપૂર્ણ સંતુષ્ટ થયા પછી, આ માલના આયાત અથવા નિકાસ શિપમેન્ટને મંજૂરી આપવાની સત્તા મળી છે.
મંજુરી ન મળે તો સામાન રોકી શકે
જો કસ્ટમ અધિકારી કોઈ પણ સંજોગોમાં નિયંત્રિત શિપમેન્ટ કે કન્સાઇન્મેન્ટની ડિલિવરી પહેલાં ક્લિયરન્સ ન લઈ શકે કે આપી શકે તેમ ન હોય તો તેણે શિપમેન્ટ મોકલ્યા પછી તરત જ અથવા 72 કલાકની અંદર જરૂરી ક્લિયરન્સ મેળવી લેવાનું રહેશે. આમાં નિષ્ફળ જવાથી, શિપમેન્ટને ડિલિવરી કરતા અટકાવી શકાય છે.