શેર માર્કેટના તર્જ પર ખરું ઉતરેલ સોનાના વેચાણની તૈયારીઓ કરવામાં આવી છે. આ વ્યવસ્થામાં જ્યાં એક તરફ લોકોને સસ્તા ભાવે સોનુ મળવા પાત્ર છે. તો આ તરફ સોનાના જથ્થાબંધ વેપારકર્તા વાળાઓના વેપાર પર ખાસ અસર પડશે.
બજારમાં સાચુ સોનુ મળી રહે તે માટે દેશમાં સોનાનો માપદંડ નક્કી કરવાવાળી સંસ્થા બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ(BIS)એ સેમ્પલ લેવાનું કામ શરૂ કરી દીધુ છે.
સોનાના ભાવમાં થશે ઘટાડો
સામાન્ય માનવીને સસ્તા ભાવે સોનું પ્રાપ્ત થઇ શકે તે માટે ભારત સરકારના ફાઇનાન્સ મંત્રાલયે તેની સાથે જોડાયેલ સંગઠન પાસેથી કેટલાક અભિપ્રાય મંગાવ્યા છે. આ મામલે તેમણે આશરે 700 પાનાની એક ફાઇલ તૈયારી કરી છે. આ અભિપ્રાયો પર ફાયનાન્સ મિનિસ્ટ્રી પોતાની સહમતિ જાહેર કરશે. મંત્રાલયે જણાવ્યું કે જેમ દેશમાં સ્ટોક એક્સચેંજ કામ કરે છે તે જ રીતે સોનાનો કારોબાર થશે.
આ પ્રકારે થશે બદલાવ અને ફાયદો
- હવે ડીમેટ એકાઉન્ટ વાળા પણ ખરીદી શકશે સોનુ.
-સોનાની દાણચોરી પર લાગશે રોક.
-આ સાથે જ સોનાની કિંમતમાં થશે ઘટાડો.
-સોના પર લાગશે માત્ર 3%GST