ધનતેરસના સમયે ભારતમાં સોનું અને ચાંદીની ખરીદી સૌથી વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. એક અંદાજ અનુસાર આખા વર્ષમાં જેટલું સોનું અને ચાંદી ખરીદાય છે તેના 30 ટકા ખરીદી ઓક્ટોબરથી શરૂ થનારી તહેવારની સિઝનમાં થાય છે.
આ વર્ષે ચાંદીની કિંમત પણ 48,500 રૂપિયા પ્રતિ કિલો થઈ શકે છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં રોકાણ કરનારાઓ પણ સોનું અને ચાંદીને પસંદ કરી રહ્યા છે.
30 ટકા ખરીદી ઓક્ટોબરથી શરૂ થનારી તહેવારની સિઝનમાં થાય છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં 1,500 ડોલર પ્રતિ ઔંસનો ભાવ સોના માટે તાલી રહ્યો છે.
ધનતેરરસના સમયે ભારતમાં સોના અને ચાંદીની ખરીદી વધે છે
ધનતેરસના સમયે સોનું ફરી એક વાર 40,000ને પાર જઈ શકે છે. સાથે જ આ વર્ષે ચાંદીની કિંમતમાં પણ 48,500 રુપિયા પ્રતિ કિલો જઈ શકે છે. જો કે ઘરેલૂ માર્કેટમાં વધારે ડિમાન્ડ નથી પણ ઈન્ટરનેશનલ લેવલમાં સોના અને ચાંદીમાં વધતા રોકાણને લઈને બંનેના ભાવ પર દબાણ વધી રહ્યું છે. એક અંદાજ અનુસાર આખા વર્ષમાં જેટલું સોનું અને ચાંદી ખરીદાય છે તેના 30 ટકા ખરીદી ઓક્ટોબરથી શરૂ થનારી તહેવારની સિઝનમાં થાય છે.
ઇન્ટરનેશનલ રોકાણકારો સોના અને ચાંદીમાં કરી રહ્યા છે રોકાણ
મળતી માહિતી અનુસાર આખા વિશ્વની ઈકોનોમીમાં સ્લોડાઉનની વાત કરવામાં આવી રહી છે. જેના કારણે શેરમાર્કેટમાં અનિશ્ચિતતાનો માહોલ છે. એવામાં ઈન્ટરનેશનલ માર્કેટમાં રોકાણકારો સોના અને ચાંદી તરફ વળી રહ્યા છે. એક સમયે ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું 1000થી 1200 ડોલર પ્રતિ ઓસ(32 ગ્રામ)ની નીચે ગયું હતું પરંતુ આજે ફરી 1500 ડોલર પ્રતિ ઓસ ઉપર આવ્યું છે. ભારત પોતાની ખપતનો 90 ટકા વધારે સોનું ઈમ્પોર્ટ કરે છે. એવામાં સોનાની કિંમતને વધતી અટકાવવાનું મુશ્કેલ છે.
ધનતેરસના સમયે વધી શકે છે કિંમત
ધનતેરસના સમયે ફરી ઘરેલૂ માર્કેટમાં ડિમાન્ડ વધી શકે છે. તેનાથી સોનાની કિંમતમાં વધારો સ્વાભાવિક છે. હાલમાં જો સ્થિતિ કાયમ રહેશે તો શક્ય છે કે સોનું ફરીથી એકવખત રેકોર્ડ બનાવી શકે છે.
ટ્રેડ વોર પર રહેશે નજર
એક સર્વે અનુસાર સોના અને ચાંદીના માર્કેટને સૌથી વધારે અમેરિકા- ચીનના ટ્રેડવોરે પ્રભાવિત કર્યા છે. તેનાથી બંને દેશોના શેર અને બ્રાન્ડ માર્કેટમાં અનિશ્ચિચચાનું વાતાવરણ બનાવે છે. તેનાથી ઇન્વેસ્ટર્સ બોન્ડ્સ અને શેર માર્કેટ બંનેમાંથી ભાગી ચૂક્યા છે. હાલમાં ઈકોનોમિક સુસ્તી ચાલી રહી છે. અમેરિકા સહિત ભારતનો જીડીપી ગ્રોથમાં નરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેનાથી ડોલરની સરખામણીએ રૂપિયા પર દબાવ વધી રહ્યો છે. રૂપિયો તૂટ્યો તો સોનાનું ઇમ્પોર્ટ મોંઘુ થઈ રહ્યું છે.
આવનારો સમય કેવો રહેશે?
કોમોડિટી માર્કેટ એક્સપર્ટ વી. ચંદ્રશેખરનું માનવું છે કે જે પરિસ્થિતિ છે તેનાથી લાગી રહ્યું છે કે સોનાના ભાવમાં વધારો રહેશે. પણ તે એક નક્કી મર્યાદામાં વધશે. હજુ લગ્ન સીઝન આવશે તો સોનામાં થોડો સમય વધારો જોવા મળે તે પણ શક્ય છે. જ્યાં સુધી ચાંદીનો પ્રશ્ન છે તો ચાંદીમાં ઉતાર -ચઢાવનો સિલસિલો યથાવત રહેશે. ચાંદીમાં વધારો ઓદ્યોગિક ડિમાન્ડ પર નિર્ભર કરે છે.