તહેવારોની સિઝન શરૂ થઇ ચૂકી છે ત્યારે મંગળવારમાં દિલ્હીના જ્વેલરી માર્કેટમાં સોનું 330 રૂપિયા મોંઘુ થઇને 39,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર પહોંચી ગયા છે. તો ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતાઓની મજબૂત માગથી ચાંદીમાં પણ 730 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે વધીને 48,720 પ્રતિ કિલોગ્રામ થઇ હતી.
સોના-ચાંદીની કિંમતમાં ઉછાળો
શ્રાદ્ધ બાદ સોના-ચાંદીની ખરીદીમાં વધારો થવાની આશા
શ્રાદ્ધ બાદ સોના-ચાંદીના ભાવમાં આવી શકે ઉછાળો
HDFC સિક્યોરિટીઝના એડવાઇઝરી હેડ (પીસીજી) દેવરશ વકીલે જણાવ્યું હતું કે, પિતૃપક્ષ-શ્રાદ્ધનો સમયગાળો 28 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે, ત્યારબાદ સોનાની ખરીદીમાં વધારો થવાની આશા છે. ન્યૂયોર્કમાં સોનું એક ઔંશ 1,522.60 ડોલર હતું, જ્યારે ચાંદી ઔશના 18.57 ડોલર હતી.
ચાંદીની કિંમતમાં થયો વઘારો
સોનાની સાથે ચાંદીમાં પણ તેજી જોવા મળી છે. મંગળવારે ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી હતી. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, જ્વેલરી માર્કેટમાં ચાંદીમાં રૂ 730 નો વધારો થયો છે. એક કિલો ચાંદીનો ભાવ હવે વધીને 48,720 રૂપિયા પર પહોંચી ગયો છે.
સિક્યોરિટીઝના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અગાઉના સત્રમાં ચાંદી 47,990 રૂપિયા પ્રતિ કિલો બંધ થઇ હતી. ઔદ્યોગિક એકમો અને સિક્કા વેપારીઓ દ્વારા ખરીદીને કારણે ચાંદીના ભાવમાં આ વધારો જોવાયો છે.