જો તમે સોનું અને ચાંદી ખરીદવા જઈ રહ્યા છો તો તમારા માટે મોટી ખુશખબર છે. આજે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો, જાણો શું છે સોના-ચાંદીની કિંમત..
સોનું ચાંદી ખરીદવા જઈ રહ્યા છો તો તમારા માટે છે ખુશખબર
સાનાના ભાવમાં આવ્યો મોટો ઘટાડો
જાણો તમારા શહેરમાં શું છે સોનાના ભાવ
દેશમાં સોના-ચાંદીના ભાવ લગાતાર વધતાં હતા પણ છેલ્લા થોડા સમયથી તેના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જો તમે સોનું ખરીદવા અથવા સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય એ માટે શ્રેષ્ઠ છે. જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે આજે તમારા શહેરમાં સોના-ચાંદીની આજની કિંમત કેટલી છે.
શું છે સોનાની કિંમત?
સોનું અને ચાંદી ખરીદનારાઓ માટે આજે સારા સમાચાર છે. સોનાની કિનામતમાં રેકોર્ડ બ્રેક તેજી પછી આજે ઘણો ઘટાડો જોવા મળ્યો હતો. 24 ફેબ્રુઆરી શુક્રવારે એટલે કે આજે સોનાં-ચાંદી બંનેની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે આજે દેશમાં 24 કેરેટ સોનાની કિંમત 0.07% ઘટીને 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચીહતી જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 51,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.
આજે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો પણ એ સામે આજે ચાંદીની કિંમત સ્થિર રહી હતી. આજે તેની કિંમત 64,500 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે. જોકે સોના અને ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ આગળ પણ આ જ રીતે ચાલુ રહી શકે છે. એવામાં ખરીદી કરતાં પહેલા સોનાં-ચાંદીની કિંમત જાણવી જરૂરી છે,
મિસ્ડ કોલ દ્વારા જાણો સોના અને ચાંદીના દર
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ રજાઓ સિવાય, શનિવાર અને રવિવારે ibja દ્વારા દર જારી કરવામાં આવતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દર જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. ટૂંક સમયમાં એસએમએસ દ્વારા તેના ભાવ પ્રાપ્ત થશે. આ સિવાય, તમે સતત અપડેટ વિશે માહિતી માટે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.
નોંધનીય છે કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી કરાયેલ કિંમતો વિવિધ શુદ્ધતાના સોનાની માનક કિંમત વિશે માહિતી આપે છે. એટલે કે આ તમામ કિંમતો ટેક્સ અને મેકિંગ ચાર્જિસ પહેલાની છે. IBJA દ્વારા જારી કરાયેલા દર દેશભરમાં સામાન્ય છે પરંતુ GST તેની કિંમતોમાં સામેલ નથી. એટલે કે જ્વેલરી ખરીદતી વખતે ટેક્સના સમાવેશને કારણે સોના કે ચાંદીના ભાવ વધારે હોય છે.