જો તમે લગ્નની સીઝનમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. બ્રિટનથી કોરોના વેક્સીનને લઈને આવેલા સારા સમાચારની અસર ભારતીય અને વિદેશી સર્રાફા બજાર પર આજે જોવા મળશે, સોના અને ચાંદીની કિંમતમાં આજે મોટો ઘટાડો આવે તેવી શક્યતાઓ છે.
સોનું ખરીદવાનો છે પ્લાન તો આ છે સારા સમાચાર
આજે સોનાની કિંમતમાં આવી શકે છે મોટો ઘટાડો
કોરોના વેક્સીનના સમાચારની જોવા મળી શકે છે અસર
બ્રિટનની ફાઈઝર અને બાયોટેકની કોરોના વેક્સીનના ઉપયોગની મંજૂરી મળ્યા બાદ કોરોના વાયરસની વેક્સીનનો ઉપયોગ કરનારો બ્રિટન પહેલો દેશ બનયો છે. જાણકારોનું માનીએ તો કોરોના વેક્સીનના સમાચારની અસર આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સોનાના બજાર પર પણ જોવા મળશે. આજે એક વાર ફરી વિદેશની સાથે સાથે દેશમાં પણ સોનાની કિંમતોમાં ઘટાડો આવી શકે છે.
બુધવારે સોના અને ચાંદીના ભાવમાં થયો હતો વધારો
આ પહેલાં પણ બુધવારે દેશમાં સોના અને ચાંદીના ભાવમાં મજબૂતી જોવા મળી હતી. દિલ્હીના સર્રાફા બજારમાં સોનું 45 રૂપિયાના વધારા સાથે 48273 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું. જ્યારે 407 રૂપિયાના વધારા સાથે ચાંદીનો ભાવ 59380 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. ગયા સત્રમાં તેનો બંધ ભાવ 59973 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો.
મંગળવારે આંતરરાષ્ટ્રિય બજારોમાં આ હતી સોના અને ચાંદીની કિંમતો
આ પહેલાં મંગળવારે પણ સોનું 44228 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.જ્યારે ચાંદી 59380 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી. આંતરરાષ્ટ્રિય બજારમાં સોનાનો ભાવ 1812 ડોલર પ્રતિ ઓંસ અને ચાંદી વધીને 23.34 ડોલર પ્રતિ ઓંસ રહી હતી.
રૂપિયામાં મજબૂતી છતાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતોમાં વધારો
દિલ્હીમાં 24 કેરેટ હાજર સોનામાં 45 રૂપિયાનો વધારો થયો છે. જાણકારોનું કહેવુ છે કે કોરોના વેક્સીનના સમાચારના કારણે સોનાના ભાવમાં ઘટાડો આવી શકે છે. આવનારા કેટલાક મહિનામાં સોનાનો ભાવ 40 હજારની આસપાસ પહોંચી જશે. જો તમે પણ સોનું ખરીદવાના વિચારમાં છો તો થોડું રોકાઈ જાવ તે જરૂરી છે. તે તમારા માટે લાભદાયી રહેશે.