આજે છઠ પુજાના દિવસે સોનાની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે.
સોનાની કિંમતમાં 62.00 રુપિયાનો ઘટાડો
સોનું 0.13 ટકાના ઘટાડા સાથે 48, 225 રુપિયા ભાવ પર
ચાંદીના ભાવમાં 236 રુપિયાની તેજી જોવા મળી રહી છે
સોનાની કિંમતમાં 62.00 રુપિયાનો ઘટાડો
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનાની કિંમતમાં 62.00 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે બુધવારે સોનું 0.13 ટકાના ઘટાડા સાથે 48, 225 રુપિયા ભાવ પર મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત 3 દિવસમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે ચાંદી મોંઘી થઈ છે. ચાંદીના ભાવમાં 236 રુપિયાની તેજી જોવા મળી રહી છે. એમસીએક્સ પર આજે ચાંદી 64, 806 રુપિયા પર ટ્રેડ કરી રહી છે.
મિસ કોલ કરી આ રીતે જાણો સોનાના ભાવ
ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.
આ રીતે ચેક કરો શુદ્ધતા
તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.
સોનાની આયાત કરનારો દેશ છે ભારત
ધ્યાનમાં રહે કે ભારત દુનિયાનો સૌથી મોટો સોનાની આયાત કરનારો દેશ છે. મુખ્ય રુપથી આભૂષણ ઉદ્યોગની માંગને પૂરી કરવા માટે સોનાની આયાત કરી શકાય છે. જથ્થાના હિસાબે ભારત વર્ષના 800થી 900 ટન સોનાની આયાત કરે છે. સરકારે બજેટમાં સોના પર આયાત ભાવ 12.5 ટકા ઘટાડીને 10 ટકા કરી નાંખી છે. સામાન્ય રીતે સોનાને મુદ્રાસ્ફૂર્તીની વિરુદ્ધ બચાવના રુપમાં જોવામાં આવે છે.