લગ્નની સિઝન શરૂ થઇ ગઇ છે ત્યારે સોના ચાંદીની કિંમતમાં ભારે ઉતાર ચડાવ પણ જોવા મળી રહ્યો છે.
સોનાનો આજનો ભાવ
ચાંદીના ભાવમાં પણ વધારો
આજે શું છે સોના-ચાંદીનો ભાવ
મલ્ટી કોમોડીટી એક્સચેન્જ પર શનિવારે સોનાનો કારોબાર નથી થતો માટે શુક્રવારે છેલ્લા કારોબારી દિવસ પર સોનામાં ઘટાડો નોંધાયો હતો.
શું છે આજનો સોનાનો ભાવ
દેશની રાજધાની દિલ્હીમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 46350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 50570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તો ચાંદીનો ભાવ 68700 રૂપિયા પહોંચી ગયો છે.
સોના અને ચાંદીની કિંમતમાં હાલમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. સર્રાફા બજારમાં આજે સોનાની કિંમતમાં વધારો આવ્યો છે તો સાથે ચાંદીની કિંમતો પણ આજે વધી છે. શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં 0.23 ટકાનો વધારો આવ્યો છે. આ પછી જૂન વાયદા સોનાનો ભાવ 47884 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. ચાંદીની વાત કરીએ તો આજે તે પણ મોંઘી બની છે. ચાંદીની કિંમતમાં 0.16 ટકાના વધારાની સાથે 69329 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ રહ્યો છે.
એચડીએફસી સિક્યોરિટીના અનુસાર ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનું 168 રૂપિયા ઘટીને 47450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું. ગયા કારોબારી સત્રમાં સોનું 47618 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. ચાંદી 69117 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી.
સોનાની શુક્રવારની કિંમત
સર્રાફા બજારમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ 0.23 ટકા વધ્યો છે. આ પછી જૂન વાયદા સોનાનો ભાવ 47884 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.
ચાંદીની શુક્રવારની કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ દ્વારા મળતી માહિતી અનુસાર સર્રાફા બજારમાં ચાંદીની કિંમતમાં 0.16 ટકાના વધારાની સાથે 69329 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ રહ્યો છે.
ચેન્નઈમાં સોનાની કિંમત 45370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી છે.
મુંબઈમાં સોનાની કિંમત 45250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી છે.
શું ફરી સોનું પહોંચશે 56000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
ભારતમાં કોરોનાના ખતરાને લઈને ફરી એક વાર ભાવ વધારો જોવા મળી શકે છે. નિવેશકો તેને સુરક્ષિત રોકાણ માની રહ્યા છે અને સોનાની ખરીદી કરી રહ્યા છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે સોનામાં વધારાને લઈને અનેક ફેક્ટર્સ સપોર્ટ કરી રહ્યા છે જેના કારણે સોનામાં ભાવ વધારો આવનારા દિવસોમાં કાયમ રહી શકે છે.
આ રીતે ચેક કરી શકાય છે સોનાની શુદ્ધતા
તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી સકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી સકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહ તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.