ગુજરાતમાં સોના ચાંદીની ખરીદીનું માર્કેટ આડે ખુલ્યું છે અને પુષ્યનક્ષત્રને કારણે લોકોએ એડવાન્સમાં સમય નોંધાવીને સોનુ-ચાંદીની ખરીદી કરી રહ્યા છે.
પુષ્ય નક્ષત્રમાં ખરીદીનો અનોખો યોગ
સોના ચાંદીની ખરીદીનો શુભ દિવસ
અમદાવાદમાં લોકોએ ખરીદી માટે એડવાન્સ બુકિંગ કરાવ્યું
આજે પુષ્ય નક્ષત્રમાં ખરીદીનો અનોખો યોગ બની રહ્યો છે. સોના ચાંદીની ખરીદીનો શુભ દિવસ છે. અમદાવાદમાં લોકોએ ખરીદી માટે એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. અમદાવાદમાં ચાંદીના ભાવમાં રૂ.3500નો ઉછાળો આવ્યો છે.
આજના દિવસે 175 કિલો સોનાના વેચાણી શક્યતા
સોનાના ભાવમાં રૂ.900નો ઉછાળો નોંધાયો છે. સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.54,500 છે. ચાંદીનો પ્રતિ કિલો ભાવ 65 હજાર છે. કોરોના કાળમાં દર વર્ષ કરતા 30 ટકા જેટલી ઓછી ખરીદી છે.
આજના દિવસે 175 કિલો સોનાના વેચાણી શક્યતા છે.