આંતરરાષ્ટ્રિય સ્તર પર સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકી સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે કંપનીઓના ત્રિમાસિક પરિણામ પર ખુશી જાહેર કરી છે. આવનારા દિવસોમાં ગ્રોથને લઈને ચિંતા જોવા મળી રહી છે. કંપનીઓના પરિણામ ચોંકાવનારા છે. આ સંકેતોના કારણે ભારતીય બજારોમાં ગુરુવારે સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો છે.
વિદેશી બજારોમાં સતત બીજા દિવસે ઘટ્યો સોનાનો ભાવ
સોના સહિત ચાંદીની કિંમતોમાં પણ આવ્યો ઘટાડો
ભારતીય બજારોમાં ભાવ પર થશે આવી અસર
એક્સપર્ટ્સનું કહેવું છે કે સોનાની કિંમતોમાં વધારો હવે અટક્યો છે. વધારે રેટિંગ એજન્સી બેંક ઓફ અમેરિકાની તરફથી કરાયેલા સર્વેમાં ફંડ મેનેજર્સે જણાવ્યું છે કે સોનાની કિંમતોમાં વધારો ઘટે છે કેમકે કોરોના વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. આશા છે કે વર્ષ 2021 ની પહેલી ત્રિમાસિકમાં ફેરક જોવા મળશે.
હવે શું થશે
આ સંકેતોના ભાવ આજે ઘરેલૂ સર્રાફા બજારમાં પણ સોનાની કિંમતોમાં ઘટાડો આવી રહ્યો છે. આ પહેલાં બુધવારે દિલ્હીના સર્રાફા બજારમાં 99.9 ટકા શુદ્ધતાના સોનાના ભાવ 54909 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 54269 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવ્યો હતો. આ સમયે કિંમતોમાં 640 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. મુંબઈમાં 99.9 ટકાના સોનાના ભાવ ઘટીને 53424.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આવ્યો છે.
સોનાની જ્વેલરીને લઈને ભારતમાં આવી ચૂક્યો છે આ નવો નિયમ
દેશમાં સોનું હવે હોલમાર્ક વિના વેચાશે નહીં. મોદી સરકાર આવનારા જૂન મહિનામાં સોનાને લઈને નવો નિયમ લાગૂ કરશે. સાથે જ હવે નવા ગ્રાહક સંરક્ષણ ઉપભોક્તા 2019 લાગૂ થયા બાદ સોનાના ઘરેણાને ખરીદીને ગ્રાહકોને કોઈ ઠગી શકતા નથી. આ નવા કાયદાના આવ્યા બાદ હવે જો જ્વેલર્સે દગો કર્યો તો તેની સામે કાર્યવાહી કરાશે. સોનાના આભૂષણો અને કલાકૃતિઓને લઈને હોલમાર્કની વ્યવસ્થા પણ દેશમાં આવનારા જૂન મહિનાથી લાગૂ થશે. નવા ગ્રાહક કાયદો આવ્યા બાદ હોલમાર્કિંગના નિયમનું પાલન કરવું અનિવાર્ય થઈ જશે.