ગત વર્ષે ઓગસ્ટમાં સોનું 56,191 રુપિયા પ્રતિ દસ ગ્રામ પર હતું. જ્યારે ચાંદી પણ 78,000 રુપિયા પ્રતિ કિલોગ્રામનાં સ્તર પર પહોંચી ગયુ હતું.
છેલ્લા ઘણાં મહિનામાં સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો
ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો
12.5 ટકા કસ્ટમ ડ્યૂટી સાથે 3 ટકા જીએસટીને લીધે સોના-ચાંદીની કિંમતો વધારે હતી
ઘરેણા બનાવવાનો ઉત્તમ સમય
જો આપ ઘરેણા ખરીદવા કે બનાવવાનું વિચારી રહ્યાં છો અને તેના માટે સારા સમયની રાહ જોઈ રહ્યાં છો તો હાલ દાગીના બનાવવાનો ઉત્તમ સમય છે. સોનુ-ચાંદીની કિંમતોમાં આવી ગયો છો ધરખમ ઘટાડો, ગત વર્ષથી સોના-ચાંદીમાં ઘટાડો થવાનું શરુ થઈ ગયુ હતું જે નવા વર્ષમાં પણ ચાલી રહ્યું છે. છેલ્લા ઘણાં મહિનાથી સોનાની કિંમતમાં 10 રુપિયા પ્રતિ દસ ગ્રામનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીનાં પણ એજ હાલ છે. માટે સોનુ-ચાંદી ખરીદવાનો આ સારો સમય છે.
કોરોનાકાળમાં સોના-ચાંદીમાં ખૂબ રોકાણ થયુ
કોરોનાકાળમાં રોકાણકારોએ સોના અને ચાંદીમાં ખૂબ રોકાણ કર્યું હતું માટે તેની કિંમતોમાં ખૂબ વધારો જોવા મળ્યો હતો. ગત વર્ષે ઓગસ્ટમાં સોનું 56,191 રુપિયા પ્રતિ દસ ગ્રામ હતું જ્યારે ચાંદી પણ 78,000 રુપિયા પ્રતિ કિલોનાં સ્તર પર પહોંચી ગયુ હતું.
આશરે એક મહિનામાં સોનામાં 2500 સુધીનો ઘટાડો નોંધાયો
હાલ સોના-ચાંદી બંનેનાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર સોનુ 4 ફેબ્રુઆરીએ 46611 રુપિયાની સાત મહિનાની ન્યૂનતમ સપાટી પર પહોંચી ગયુ હતુ. જેથી હાલ ઘરેણા બનાવવાનો આ સૌથી સારો સમય છે. જ્યારે 9 ફેબ્રુઆરીએ સોનાનાં ભાવમાં થોડ ઉછાળો જોવા મળ્યો હતો જેમાં 24 કેરેટનાં 10 ગ્રામ સોનાનો ભાવ 47559 પર બંધ થયો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલરી એસોસિયેશન મુજબ મંગળવારે ખુદરા બજારમાં સોનુ આશરે 500 રુપિયાનાં વધારા સાથે 48045 રુપિયા સુધી પહોંચી ગયુ હતુ. ઉલ્લેખનીય છે કે, ગત આશરે એક મહિનામાં સોનાનાં ભાવમાં 2000થી 2500 રુપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે.
કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરાયો
1 ફેબ્રુઆરીએ બજેટમાં ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે સોના અને ચાંદીનાં ભાવ પર કસ્ટમ ડ્યૂટીને 12.5 ટકાથી ઘટાડીને 7.5 ટકા કરી દીધુ છે. ફાઈનાન્સ મિનિસ્ટરએ આ પગલુ સોનાની સ્મગલિંગને રોકવા માટે લીધું છે. કસ્ટમ ડ્યૂટી ઘટાડવાથી સોનું સસ્તુ થઈ રહ્યું છે અને વિશ્વ બજારમાં જે સ્થિતિ છે તેની અસર પણ સોના-ચાંદીની કિંમતો પર પડી રહી છે. જાણવા જોગ છે કે જુલાઈ 2019માં સરકારે કસ્ટમ ડ્યૂટી 7.5માં 2.5 ટકા વધારીને 10 ટકા કરી દીધી હતી જ્યારબાદ સોના-ચાંદીની કિંમતોમાં વધારો થયો હતો. 12.5 ટકા કસ્ટમ ડ્યૂટી પર 3 ટકા જીએસટી લાગવાને લીધે સોના-ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળતો હતો.