કોરોનાએ વૈશ્વિક મંદીને આહ્વાન આપી દીધુ છે. જેની અસરમાંથી સોનુ પણ બાકાત નથી. અમદાવાદમાં સોનાની આયાતમાં 32 ટનનો ઘટાડો નોંધાયો છે. અને હજુ માર્કેટમાં માખો ઉડી રહી છે.
સોનાની આયાતમાં મોટો ઘટાડો
ભાવ વધતા લોકોની ખરીદ શક્તિ ઘટી
સોનાની આયાતમાં 32 ટનનો ઘટાડો
સોનાની આયાતને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના અને ભાવમાં વધારાથી સોનાની ખરીદી ઘટી છે. ભાવ વધતા લોકોની ખરીદ શક્તિ ઘટી છે. અમદાવાદમાં સોનાની આયાતમાં મોટો ઘટાડો નોંધાયો છે.
ગત વર્ષ કરતાં સોનાની આયાતમાં 32 ટનનો ઘટાડો નોંધાયો છે. વેપારીઓને અપેક્ષા છે કે, તહેવારો અને લગ્ન પ્રસંગ પર ખરીદી ખુલશે. દર વર્ષે તહેવારોમાં 80 થી 90 કરોડનું વેચાણ થતું હોય છે. કોરોનાના કારણે 50 ટકા વેંચાણ ઘટે તેવી શક્યતા છે.