હવે તમારા ઘરમાં રહેલા સોના ઉપર સરકારની નજર રહેશે. ઘરમાં પડેલા સોનાને બેન્ક સુધી પહોંચાડવાની ઝુંબેશ તેજ થઇ ગઇ છે. અહેવાલો અનુસાર નાણાં મંત્રાલયે બેન્કોને જણાવ્યું છે કે તેઓ દર ક્વાર્ટરના આધારે લક્ષ્ય નક્કી કરે કે ગોલ્ડ મોનેટાઇઝેશન હેઠળ કેટલું સોનું જમા લેવું છે.
ઘરમાં પડેલા સોના પર સરકાર અને બેંકની નજર
ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ માટે ખાસ પોર્ટલ બનાવવાની યોજના
મંદિર ટ્રસ્ટના ગોલ્ડને આ સ્કીમ હેઠળ લાવવા પર ભાર
નાણાં મંત્રાલયમાં બેન્ક અને ગોલ્ડ સેક્ટરના લોકોની બેઠક યોજાઇ હતી. ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ માટે ખાસ પોર્ટલ બનાવવાની યોજના પણ છે. બેન્કોને હાઇ નેટવર્થ ઇન્વેસ્ટર્સને ઓળખી કાઢવા સૂચના આપી છે. બેન્કોને ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ સફળ બનાવવા પ્લાન રજૂ કરવા પણ આદેશ કરાયો છે.
મંદિર ટ્રસ્ટના ગોલ્ડને આ સ્કીમ હેઠળ લાવવા પર ભાર
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ માટે પાંચ લાખ ગ્રાહકોની ઓળખ પણ કરી લીધી છે. મંદિર ટ્રસ્ટના ગોલ્ડને આ સ્કીમ હેઠળ લાવવા ભાર મૂકવામાં આવી રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૦માં એસબીઆઇમાં ૩.૫ ટન સોનું જમા થયું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૧માં બેન્ક ઓફ બરોડાએ ૨૦૦ કિલો સોનું જમા કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આઇસીઆઇસીઆઇ બેન્કે પણ ૪૧ કિલો સોનું જમા લીધું છે. ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમના નિયમોમાં ફેરફાર કરીને તે વધુ સરળ બનાવાયા છે.
2015માં ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમની શરૂઆત કરી હતી
ગોયલના આધારે સોનાના ઉત્પાદક કાર્યોમાં ઉપયોગથી આયાતના કારણે વિદેશી મુદ્રા ભંડાર પર પડી રહેલા બોજાને ઓછો કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે સરકારે 2015માં ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમની શરૂઆત કરી હતી. જો કે રિટર્ન ઓછું અને સુરક્ષા ચિંતાઓના કારણે યોજનાને સારો પ્રતિસાદ મળ્યો નથી. યોજનાના આધારે બેંક નક્કી સમય માટે ગ્રાહકોને સોનું જમા કરવાની પરમિશન આપે છે. તેની પર 2.25 ટકાથી 2.50 ટકા સુધીનું વ્યાજ મળે છે. સ્કીમના આધારે ઓછામાં ઓછું 30 ગ્રામ 995 શુદ્ધતાવાળું સોનું બેંકમાં રાખવાનું રહેશે. તેમાં બેંક ગોલ્ડ બાર, સિક્કા, ઘરેણા (સ્ટોન સિવાયના અને મેટલ વિનાના) મંજૂર કરશે.