ઘરેણાં ખરીદતી વખતે સોનાની શુદ્ધતા બાબતે મોટા ભાગે અજાણ ગ્રાહકો માટે સારા સમાચાર છે, કારણ કે છેલ્લાં કેટલાંય સમયથી જ્વેલરીમાં હોલમાર્કિંગ ફરજિયાત થવાની બાબત ચર્ચાતી હતી પરંતુ હોલમાર્કિંગ આગામી વર્ષથી ફરજિયાત થાય તેવી શક્યતા વધી ગઈ છે.
સોનાની જ્વેલરીમાં આગામી વર્ષથી હોલમાર્ક હવે ફરજિયાત થઈ જશે
રાજ્યમાં અત્યારે માત્ર ૧૮ હોલમાર્કિંગ સેન્ટર
હોલમાર્ક ફરજિયાત થશે
સમગ્ર દેશમાં હોલમાર્ક ફરજિયાત કરવા બાબતના સુધારા અંગે WTO (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન)ને જાણ કરવી જરૂરી હોય છે અને તેની મંજૂરી મળ્યા પછી આ બાબત અમલી બની શકે છે. હવે WTOને આ બાબતે જાણ કરી દેવાઈ છે.
સોનાની જ્વેલરીમાં આગામી વર્ષથી હોલમાર્ક હવે ફરજિયાત થઈ જશે
WTO દ્વારા આગામી માસમાં હોલમાર્ક ફરજિયાત કરવા બાબતની મંજૂરી અપાય તેવી શક્યતા છે અને ર૦ર૦માં તેનો અમલ થઈ જશે. અત્યારે ગુજરાતમાં માત્ર ૧૮ હોલમાર્કિંગ સેન્ટર છે, જેમાં સરેરાશ રોજનાં ર૦૦ એટલે કે કુલ અંદાજે ૩૬૦૦ જ્વેલરી આર્ટિકલનું હોલમાર્ક થાય છે. ગત વર્ષે સાડા ચાર કરોડની જ્વેલરીને હોલમાર્ક કરાયું હતું. જ્વેલરી હોલમાર્કિંગ ફરજિયાત થશે તો તેનો સૌથી મોટો ફાયદો જ્વેલરી ખરીદનાર ગ્રાહકને થશે. કારણ કે ગ્રાહકો સોનાની શુદ્ધતા બાબતે પૂરતા માહિતગાર હોતા નથી, પરંતુ તેઓ હોલમાર્કિંગનાં આધારે વિશ્વાસપૂર્વક ઘરેણાં ખરીદી શકે છે.