HUID દ્વારા સરકાર એ જાણી શકશે કે સોનાના અસલી વિક્રેતા કોણ છે.
ગોલ્ડ પર હોલમાર્ક થઈ જશે ફરજીયાત
સરકાર લાગુ કરશે નવો નિયમ
જાણો તેના વિશે વધુ માહિતી
દેશના જ્વેલર્સમાં આજે ભારે નારાજગી છે. આ ગુસ્સો હોલમાર્કિંગ પોલિસીને લઈને છે જેને સરકારે જરૂરી કરી દીધી છે. જ્વેલરીનો ધંધો કરનાર વ્યાપારીઓનું કહેવું છે કે સરકારે આ પગલું જલ્દી લઈ લીધુ છે અને જ્યાં સુધી સોનાના ઘરેણા પર હોલમાર્કંગનું આખા દેશમાં એક વ્યાપક ઢાંચો ન તૈયાર થઈ જાય ત્યાં સુધી તેને રોકી દેવામાં આવશે. બીજી તરફ સરકારનું માનવું છે કે નિયમ લાગુ થવા અને હોલમાર્કિંગનું કામ ચાલુ રાખીને પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ શકે છે. હકીકતે જ્વેલર પર હોલમાર્કિંગ એક તરફથી યુનિક આઈડી હશે જેને ટેક્નિકલ ભાષામાં હોલમાર્કિંગ યુનિક આઈડી અથવા HUIDના નામથી જાણવામાં આવશે.
આ HUID એ દુકાનથી જોડાયેલું હશે જ્યાંથી જ્વેલરી વેચવામાં આવી છે. આ યુનિક આઈડી એ હોલમાર્કિંગ સેન્ટર પણ જોડાયેલું રહેશે જ્યાંથી શુદ્ધતાનો ઠપ્પો લાગશે. આ બે પ્રકારના આઈડીથી મોટો ફાયદો એ થઈ રહ્યો છે કે સરકાર જ્વેલરને ટ્રેસ કરી શકશે કે કઈ દુકાન અને કયા સેન્ટથી જ્વેલરી વેચવામાં આવી છે. જો જ્વેલરીની ક્વોલિટીમાં કોઈ પ્રકારની ભેળશેળ અથવા ફ્રોડ હશે તો જ્વેલરની દુકાન અને હોલમાર્કિંગ સેન્ટર સુધી પહોંચવું સરળ રહેશે. જ્વેલરીની શુદ્ધતા બની રહેશે અને ગ્રાહકોને ભેળશેર વાળુ સોનું નહીં મળે જેના માટે સરકાર દરેક જ્વેલરી પર એક યુનિક આઈડી આપવા માંગે છે.
શું છે HUID
એચયુડી એક નંબરની જેવું હોય છે જે તમારા આધાર અથવા પાનની જેમ હોઈ શકે છે. HUID હેઠળ દરેક જ્વેલરીને એક યુનિક આઈડી નંબર આપવામાં આવશે. આ આઈડી જણાવે છે કે જ્વેલરી ક્યાંથી વેચવામાં આવી છે અને વેચાણ બાદ કેટલા કેટલા હાથમાં ગયું છે. કોઈ પણ સોનારે આ જ્વેલરીને વેચી, કોણે ખરીદી અને શું તે જ્વેલરીને કોઈ લોકરમાં મુકવામાં આવી છે, શું તેને ઓગાળીને ફરી જ્વેલરી બનાવવામાં આવી છે અને આગળ વેચવામાં આવી છે. આ દરેક જાણકારી એચયુઆઈડીમાં દાખલ કરવામાં આવશે.
સરકારને કેમ જોઈએ છે આ ડિટેલ
સરકાર દરેક પ્રકારના જ્વેલર અથવા સોનાના ઈંટ, બિસ્કિટ અથવા બારને એટલા માટે ટ્રેસ કરવા માંગે છે કારણ કે તેનાથી ખબર પડી શકે કે દેશમાં ક્યાંથી કયું સોનું આવી રહ્યું છે. ગોલ્ડનો સૌથી મોટો ઉપયોગ તસ્કરી માટે કરવામાં આવે છે. અને તેનાથી બ્લેક મની ઉભી કરવી ખૂબ જ સરળ છે. HUID દ્વારા સરકાર આ જાણી શકશે તે સોનાના અસલી વિક્રેતા કોણ છે. વિક્રેતાની જાણકારી રહેશે તો ફ્રોડ થવાની સંભાવનાઓ ઓછી થઈ જશે. માટે ગ્રાહકોને શુદ્ધ સોનું મળી જશે અને તેના પર સરકારની પણ કમાણી થશે. સોનાની તસ્કરીના નામ પર જો ટેક્સ ચોરી થાય તો તેના પર રોક લાગી શકશે.