બિહારમાં ખેતરમાંથી સોનાના સિક્કા નિકળ્યા છે. આ સાંભળીને થોડુ અજીબ લાગશે, પણ બક્સરમાં આવું થયું છે.
બિહારના બક્સરમાં હેરાન કરનારો કિસ્સો
બટાટાના ખેતરમાંથી સોનાના સિક્કા નિકળ્યા
સિક્કાની વાત સાંભળી લોકોએ પડાપડી કરી
બિહારમાં ખેતરમાંથી સોનાના સિક્કા નિકળ્યા છે. આ સાંભળીને થોડુ અજીબ લાગશે, પણ બક્સરમાં આવું થયું છે. સોનાના સિક્કા બટાટાના ખેતરમાંથી નિકળતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. તો વળી બીજી બાજૂ ચિત્ર વિચિત્ર પ્રકારની ચર્ચાઓ પણ થવા લાગી હતી. વાત એટલી બધી ફેલાઈ ગઈ કે, આખરે પોલીસને આવવું પડ્યું. ત્યાં સુધી કે, ખેતરની પણ ઘેરાબંધી કરી દેવામાં આવી. ખેતરમાંથી કુલ છ સિક્કા મળ્યા છે. જેમાં પોલીસે ત્રણ સિક્કા ઝડપી પાડ્યા છે. અને બાકીના સિક્કા હજૂ પણ મળ્યા નથી.
શું છે સમગ્ર મામલો
સમગ્ર મામલો બક્સર જિલ્લાના નાવાનગર પ્રખંડ વિસ્તારમાં ગિરધર બરાંવ ગામનો છે. હરિર સાહના બટાટાના ખેતરમાંથી સોનું નિકળવાની વાત સાંભળી તો, આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. ગામના લોકોએ ખેતર ખોદવાનું શરૂ કરી દીધું. હરીહર સાહે બીહસી દેવીને ખેડવા માટે આપી હતી. ગત શુક્રવારે ખેતરમાં લગાવેલી કાંટાની વાડને હટાવવા માટે કોદાળી લઈને ખેતરમાં ખોદવા લાગ્યા. આ દરમિયાન એક એક કરીને તેમને ચાર સોનાના સિક્કા મળ્યા હતા.
જેમાંથી એક સિક્કાને સત્યમ સિંહે લઈ લીધો અને બાકીના ત્રણ સિક્કામાંથી એક સિક્કો બીહસી દેવીએ પોલીસને આપી દીધો અને બાકીના સિક્કા કુવામાં ફેંકી દીધા. આ વાતની જાણ ગામલોકોને થઈ તો, ગામલોકો અડધી રાતે જઈને ખેતરમાં ખોદવા લાગ્યા. આ દરમિયાન બે વ્યક્તિને એક એક સિક્કા મળ્યા હતા.
સિક્કાને સોની પાસે વેચી માર્યા
વૃદ્ધ મહિલા બીહસી દેવીએ સત્યમ સિંહ દ્વારા આપવામાં આવેલો એક સિક્કો સોની શિવકુમારથી પાસેથી લઈ લીધો. જેને સોનીએ તોડીને તપાસ કરી હતી. સત્યમ સિંહે સોનીને 27,500 રૂપિયામાં વેચ્યો હતો. આ સિક્કાને પોલીસે ઝડપી લીધો હતો. તો વળી રાતે જમીનમાં ખોદકામ કરનારા સરોજ પાલને એક સિક્કો મળ્યો હતો. આ ત્રીજા સિક્કાને પણ પોલીસે જપ્ત કરી લીધો હતો. ખેતરમાંથી મળેલા છ સિક્કામાં પોલીસે ત્રણ જપ્ત કરી લીધા.
સોનબરસા પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રિયદર્શીએ ત્રણ સિક્કા જપ્ત કર્યા હોવાની પુષ્ટિ કરી છે. પોલીસ એ શોધી રહી છે કે, બાકીના સિક્કા ક્યાં છે. હાલમાં આ ઘટના બાદ રવિવારે પોલીસે ખેતરની ચારેતરફ નાકાબંધી કરી દીધી છે અને ત્યાં પોલીસ ફોર્સ ગોઠવી દેવામાં આવી છે. તો વળી સિક્કા મળ્યા બાદ ટોચના અધિકારીઓને પણ આ અંગેની સૂચના આપવામાં આવી છે. હાલમાં જોવાની વાત એ છે કે, પુરાતત્વ વિભાગી ટીમ આ સિક્કા વિશે ક્યા પ્રકારની તપાસ કરે છે .