કોરોના વાઈરસના સંક્ર્મણને કારણે ભલે દુનિયાભરમાં કહેર વર્તાયો હોય કે બિઝનેસ ઠપ થયા હોય પરંતુ ટોચ ઉપર પહોંચેલા સોનાના ભાવમાં કોરોનાને કારણે ઘટાડો થતાં જવેલર્સમાં રાહતનો માહોલ છે. 45 હજારની ટોચે પહોંચેલા સોનાના ભાવના કારણે સોની બજારમાં મંદી હતી.
સોનાના ભાવમાં કોરોનાને કારણે ઘટાડો
જવેલર્સમાં રાહતનો માહોલ
ગ્રાહકો સોનું ખરીદવા દોડ્યા
ગ્રાહકો - ખરીદનાર નહિવત થયા હતા. એવા સંજોગોમાં અત્યારે સોનાના ભાવમાં ઘટાડો થતાં સોની બજારમાં ખુશીનો માહોલ છે. કારણકે ગ્રાહકોની ઈન્કવાયરીમાં 20 ટકાનો વધારો થયો છે. જેથી જવેલરી બજારમાં પ્રાણ ફુંકાયો છે.
24 કેરેટ સોનાની કિંમતમાં મોટો ઘટાડો
બજારમાં 24 કેરેટ સોનાની કિંમત 40 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે આવી ગઈ છે. મંગળવારે 10 ગ્રામ સોનાની નવી કિંમત 39,759થી ઘટીને 39,719 રૂપિયા રહી હતી. સોનાની કિંમતની જેમ ચાંદીની કિંમતમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. મંગળવારે ચાંદીની કિંમત 26,682થી ઘટીને 35,948 રૂપિયા થઈ ગઈ છે. કોરોના વાઈરસના ખતરાને કારણે ઇન્ડસ્ટ્રીઓની ગતિવિધિ મંદ પડતા માંગ ઘટી છે. જેના કારણે કિંમતમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલા ઘટાડાને કારણે સ્થાનિક સ્તરે સોનાની કિંમત ઘટી રહી છે.
ચાંદી અત્યારે 11 વર્ષના સૌથી નીચા દરે છે
ચાંદી અત્યારે 11 વર્ષના સૌથી નીચા દરે છે. સોનાના ઘટેલા દરના કારણે રાજ્યભરના 2500થી વધુ જવેલર્સને વેપારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો છે. આ અંગે ઇન્ડિયન બુલિયન જવેલર્સ એસોસીએશન ગુજરાતના ડિરેક્ટર નૈનેશભાઈ પચ્ચીગરે જણાવ્યું હતું કે સોનાના ભાવમાં ઘટાડાના પગલે ગઈ કાલે ખરીદીનો માહોલ જોવા મળ્યો છે જે હજુ વધવાની શક્યતા છે.