સમગ્ર વિશ્વમાં કોરોના સંકટ ચાલી રહ્યું છે તો આ તરફ તેની અસર તમામ વેપાર-ધંધા પર પણ જોવા મળી રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો નોંધાયો છે. મંગળવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં દશ ગ્રામ સોનાની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. આ તરફ ચાંદીની કિંમતમાં 1606 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.
કોરોના સંકટ વચ્ચે સોના-ચાંદીએ આપ્યા સારા સમાચાર
એક સાથે 1500 રૂપિયાનો નોંધાયો ઘટાડો
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, કોરોના વાયરસની વેક્સિન ભલે મોડું થયું હોય પરંતુ તેના ઇલાજને લઇને આશા અમર છે. કેટલીક થેરાપીમાં સારા પરિણામ પણ પ્રાપ્ત થયાં છે. જો કે, સોના-ચાંદી ઉપર પણ કોરોના મહામારીનો પડછાયો પડ્યો છે પરંતુ આગામી સમયગાળામાં ભાવમાં થોડા વધ-ઘટના સંકેત દેખાઇ રહ્યા છે.
સોનાના નવા ભાવ
મંગળવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાના ભાવ 52,907 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટીને 52,350 પર પહોંચ્યા છે. આ દરમિયાન કિંમતમાં 557 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. મુંબઇમાં 99.9 ટચ ધરાવતા સોનાના ભાવ ઘટીને 51628.00 પ્રતિ 10 ગ્રામ થયાં છે.
ચાંદીના નવા ભાવ
મંગળવારે ચાંદીની કિંમતમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં એક કિલોગ્રામ ચાંદીના ભાવ 68,342 રૂપિયાથી ઘટીને 66,736 રૂપિયા થયાં છે. નોંધનીય છે કે, 1606 રૂપિયાનો પ્રતિકિલો ગ્રામ ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે.