અખાત્રીજના ખાસ અવસર પણ સોના ચાંદીની કિંમતમાં થયો ઘટાડો, સોનું અને ચાંદી ખરીદવા ઇચ્છતા હોવ તો આજે જ કરી લો ખરીદી
અખાત્રીજના દિવસે સોના-ચાંદીના ઘટ્યા ભાવ
સોનામાં 2.13 ટકાનો નોંધાયો ઘટાડો
જ્યારે ચાંદીમાં 2.14 ટકાનો નોંધાયો ઘટાડો
હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજ તિથિ પર અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયાને અખાત્રીજ અથવા અક્ષય ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સોના અને ચાંદીની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. ત્યારે જો સોનુ અને ચાંદી ખરીદવાનો તમારો વિચાર હોય તો આજે જ ખરીદી લેજો, કારણ કે આજે ભાવમાં ઘટાડો નોંધાયો છે. અખાત્રીજના દિવસે સોના ચાંદીના ભાવમાં કેટલા રુપિયા ઘટ્યા તે વિશે આવો જાણીએ.
સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
આમ તો મોટાભાગે આ દિવસે સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાય છે પરંતુ આ વખતે અખાત્રીજના દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સતત ત્રીજા દિવસે છે જ્યારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હોય.મંગળવારે, MCX (MCX Gold Price) પર સોનાની કિંમત 2.13 ટકા ઘટીને 50,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જ્યારે ચાંદીના ભાવમાં 2.14 ટકાનો મોટો ઘટાડો થયો હતો. ચાંદીનો ભાવ ઘટીને રૂ. 62,970 પ્રતિ કિલો થયો હતો.
24 કેરેટ સોનાનો ભાવ કેટલો ?
સમાચાર લખાય છે ત્યાં સુધી અક્ષય તૃતીયાના અવસરે IBJA ની વેબસાઇટ પર રેટ જાહેર કરવામાં આવ્યા ન હતા. આવી સ્થિતિમાં સોનાની કિંમત 2 મેના રોજ બંધ થયેલા બજાર ભાવ પર યથાવત છે. 2 મેના રોજ 24 કેરેટ સોનું ઘટીને 51336 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ સિવાય 22 કેરેટ સોનું 51130 અને 20 કેરેટ સોનું 47024 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
બે મહિનાનો રેકોર્ડ તૂટ્યો
999 શુદ્ધતા સાથે ચાંદી 62950 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે બુલિયન માર્કેટમાં સોનાની કિંમતે છેલ્લા બે મહિનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. IBJA અનુસાર, અગાઉ 28 ફેબ્રુઆરી, 2022ના રોજ સોનાની કિંમત 50696 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 28 ફેબ્રુઆરીથી સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.
સોના અને ચાંદીમાં ભાવ ઘટાડાનું શું કારણ ?
ફેડરલ રિઝર્વ દ્વારા વધતી જતી મોંઘવારીને કાબૂમાં લેવા માટે વ્યાજ દરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. જેના કારણે બજાર પર દબાણ બન્યું છે.
નિષ્ણાંતોને આશા છે કે વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો થઇ શકે છે.
અક્ષય તૃતીયા શુભ મુહૂર્ત
અક્ષય તૃતીયા 3 મે 2022 મંગળવારના રોજ
અક્ષય તૃતીયા પૂજા મુહૂર્ત -સવારે 05:59 થી બપોર 12:26 સુધીનો
સમયગાળો -06 કલાક 27 મિનિટની
તૃતીયા તિથિની શરૂઆત-03 મે 2022 ના રોજ સવારે 5:18 વાગ્યાથી
તૃતીયા તિથિ સમાપ્ત -04 મે 2022ના રોજ સવારે 07:32 વાગ્યે સમાપ્ત થાય છે
અક્ષય તૃતીયાના ખરીદી મુહૂર્ત
અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનો સમય 3 મે 2022ના સવારે 05:59 થી 4 મે 2022ના રોજ સવારે 7:58 વાગ્યા સુધી.