રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP ) ના નેતા અજિત પવારે કહ્યું કે ભાજપની સાથે જવું વિદ્રોહ નહોતો. તેઓએ કહ્યું કે તેઓ પહેલા પણ એનસીપીમાં હતા અને હજુ પણ એનસીપીમાં જ છે. નોંધનીય છે કે બીજેપીને સમર્થન આપ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે તેમને ઉપ મુખ્યમંત્રી બનાવ્યા હતા.
અજિત પવારે કહ્યું કે ભાજપની સાથે જવું વિદ્રોહ નહોતો
અજિત પવારે કહ્યું, તેઓ પહેલા પણ એનસીપીમાં હતા અને હજુ પણ એનસીપીમાં જ છે
અજિત પવારે કહ્યું, શરદ પવાર તેમના નેતા છે
જોકે, સુપ્રીમ કોર્ટ દ્વારા ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યા બાદ પહેલા અજિત પવાર ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસે પોતાના પદેથી રાજીનામુ આપી દીધું.
અજિત પવાર હવે પૂર્ણ રીતે એનસીપીમાં પાછા ફર્યા છે. ગુરુવારે તેઓએ પાર્ટીની બેઠકમાં પણ ભાગ લીધો. બીજેપીને સમર્થન આપવાના સવાલ પર તેઓ કહ્યું કે આ કોઇ વિદ્રોહ નહોતો. આ વિશે પૂછવા પર અજિત પવારે કહ્યું, હું એનસીપીનો નેતા હતો. શું એનસીપીએ મને નીકાળ્યો ? શું તમે આ વિશે ક્યાં વાંચ્યું ?
પોતાના કાકા શરદ પવારને નેતા માનતા અજિત પવારે કહ્યું, હું પહેલાથી જ કહી રહ્યો છું કે હું એનસીપીનો નેતા હતો, હું એનસીપીમાં છું અને એનસીપીમાં જ રહીશ. અજિત પવારે એમ પણ કહ્યું કે શરદ પવાર તેમના નેતા છે અને તે જે કહેશે અજિત તે કરશે.