પાંચ મહિના બાદ સુરત એરપોર્ટ ધમધમતું થતા સુરતને આગામી 28 જુલાઈથી 13 નવી ફ્લાઈટ મળશે જેને લઈ સુરતીલાલાઓ મોજમાં આવી ગયા છે.
5 મહિના બાદ સુરત એરપોર્ટ શરૂ થશે
28 જુલાઇથી રોજની 13 ફ્લાઇટ ભરશે ઉડાન
રાજકોટથી ગોવાની ફ્લાઇટ આજથી થશે શરૂ
સુરતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં કોરોના કેસ ઘટી રહ્યા છે સંક્રમણના કેસ પણ ઓછા આવી રહ્યા છે, ત્યારે સુરત એરપોર્ટ ઓથોરિટીએ ફ્લાઈટ રાબેતા મુજબ શરૂ કરી દીધી છે.
સુરત એરપોર્ટ ફરી ધમધમતુ થશે
ઉલ્લેખનિય છે કે સુરતમાં અત્યાર સુધી માત્ર 8 જેટલી ફ્લાઈટો જ ઓપરેટ થતી હતી. ત્યારે હવે ફ્લાઈટોની સંખ્યમાં વધારો કરવામાં આવી રહ્યો છે. પાંચ મહિના બાદ સુરત એરપોર્ટ ધમધમતું થતા હવે વધુ ફ્લાઈટ મળવા જઈ રહી છે. સુરતને આગામી 28 જુલાઈથી 13 નવી ફ્લાઈટ મળશે જેને લઈ સુરતીલાલાઓ મોજમાં આવી ગયા છે.
5 મહિના બાદ સુરત એરપોર્ટ શરૂ થશે
મહત્વનું છે કે સુરત ઉદ્યોગ ધંધા માટે અગ્રેસરનું સ્થાન ધરાવે છે સુરત કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ સહિત અને મહત્વના ઉદ્યોગો આવેલા છે તેમજ વેપારીઓને ધંધા માટે અનેક દેશ વિદેશના પ્રવાશે ખેડવા પડતા હોય છે કોરોના કાળમાં ઉદ્યોગ ધંધા પર માઠી અસર પડી છે ત્યારે હવે ધીમેધીમે ગાડી પાટા પર ચડી રહી હોય તેવું લાગી રહ્યું છે એવા સમયે સુરત એરપોર્ટને લઈ વિમાન કંપનીઓએ સારો નિર્ણય લીધો છે.
28 જુલાઇથી રોજની 13 ફ્લાઇટ ભરશે ઉડાન
ઉલ્લેખનિય છે અગાઉ પણ સુરતમાં સ્પાઈસ જેટ કંપનીએ વધુ પાંચ ફ્લાઈટ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે ફ્લાઈસ જેટની આ સેવા સુરતથી જયપુરની ડેઈલી ફ્લાઈટ શરૂ થશે તેની સાથે પુણે, હૈદરાબાદ, બેંગ્લુરુ, અને જબલપુરની ફ્લાઈટ સેવા પણ શરૂ કરાશે, સુરતમાં ફ્લાઈટ સેવામાં વધારો કરાતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.
રાજકોટથી ગોવાની ફ્લાઇટ આજથી થશે શરૂ
આ તફર સૌરાષ્ટ્રવાસીઓ માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજકોટમાં પણ આજથી નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે આ ફ્લાઈટ રાજકોટથી ગોવા સુધી છે જે આજે બપોરે 2 વાગ્યા બાદ ટેકઑફ થવા જઈ રહી છે જ્યારે ગોવાથી આ ફ્લાઈટ 5 સાંજે વાંગ્યે રાજકોટ આવવા તરફ ઉંડાન ભરશે. રાજકોટમાં નવી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવતા રાજકોટવાસીઓ ખુશી જોવા મળી રહી છે.