ભારતમાં બહારથી પાછા ફરેલા 4 લોકો કોરોના વાયરસના દક્ષિણ આફ્રીકી સ્ટ્રેનથી સંક્રમિત થયાની ખરાઈ થઈ છે.
સંક્રમિતોમાંથી 2 લોકો દક્ષિણ આફ્રીકાથી પાછા ફર્યા હતા.
એકવ્યક્તિ અંગોલા અને એક તાન્જાનિયાથી આવ્યા હતા
187 લોકો બ્રિટન સ્ટ્રેનથી સંક્રમિત
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાનો સાધ્યો છે
દેશમાં પહેલી વાર 4 લોકોને સાર્સ સીઓવી 2 વાયરસના દક્ષિણ આફ્રીકી સ્વરુપથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે એક વ્યક્તિએ વાયરસના બ્રાજીલિયાઈ સ્વરુપથી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે. સાઉથ આફ્રિકા અને બ્રાઝિલમાંથી કોરોનાના નવા સ્ટ્રેનના ભારતમાં આવવાથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાનો સાધ્યો છે. રાહુલ ગાંધીએ એક સમાચાર ટ્વિટ પર શેર કરી કહ્યું કે, કોરોના હજું ખતમ નથી થયો. સરકાર ઘોર લાપરવાહી અને આત્મવિશ્વાસનો શિકાર છે.
GOI is being grossly negligent and over confident about Covid-19.
આઈસીએમઆરના મહાનિર્દેશક બલરામ ભાર્ગવે કહ્યું કે ભારતમાં બહારથી પાછા ફરેલા તમામ પ્રવાસીઓ અને તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરી તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આઈસીએમઆર- એનઆઈવી આ ચાર સંક્રમિત લોકોના નમૂનાથી દક્ષિણ આફ્રીકી સ્વરુપને અલગ કરવા અને અન્ય જાણકારી ભેગી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં બ્રાઝિલથી પાછા ફરેલા એક વ્યક્તિને વાયરસના બ્રાઝિલિયાઈ સ્વરુપથી સંક્રમિત થવાની પુષ્ટિ કરવામાં આવી છે. ભાર્ગવે વાયરસના બન્ને સ્વરુપોની ચર્ચા કરતા કહ્યું કે દક્ષિણ આફ્રીકન સ્વરુપ અંગે પહેલીવાર મધ્ય ડિસેમ્બરમાં ખબર પડી હતી. આ સ્વરુપ 44 દેશોમાં ફેલાયું છે. વાયરસના બ્રાઝિલિયાઈ સ્વરુપની જાણ જાન્યુઆરીમાં થઈ અને આ ત્યાં સુધીમાં 15 દેશોમાં ફેલાઈ ચૂક્યો હતો.
187 લોકો બ્રિટન સ્ટ્રેનથી સંક્રમિત
આ દરમિયાન દેશોમાં કોરોના વાયરસના બ્રિટનવાળા સ્વરુપતી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 187 થઈ ગઈ છે. પરંતુ કોઈનું મોત નથી થયુ. તેમને ભાર મુક્યો કે નવા સ્ટ્રેન પર નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યુ કે બ્રિટનથી આવનારા પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર પરિક્ષણ જરુરી છે. સંક્રમિત લોકોનું જીનોમ અનુક્રમણ કરવામાં આવી રહ્યું છે. આ એક સારી રણનીતિ છે.