ગોધરા: વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર 59 કાર સેવકને જીવતા સળગાવી મુકવા મામલે આજે SITની ખાસ કોર્ટમાં સુનાવણી છે. વર્ષ 2015થી 2016 દરમિયાન ઝડપાયેલા વધુ 5 આરોપી અંગે આજે સુનાવણી હાથ ધરાઈ હતી ત્યારે ખાસ કોર્ટે આ મામલે ચુકાદો જાહેર કરતા 2 આરોપીઓને દોષી અને 3ને નિર્દોષ જાહેર કર્યા હતા.
આ મામલે SITની ખાસ કોર્ટમાં જજ એચ.સી. વોરા સાબરમતી જેલમાં આજે ચુકાદો સંભળાવ્યો હતો. આ પાંચેય આરોપી વર્ષ 2002થી ફરાર હતા અને 2015-16માં આ પાંચેય આરોપીની ધરપકડ કરાઈ હતી. જેમાં 2015માં હુસૈન સુલેમાનની મધ્યપ્રદેશના ઝાંબુઆથી ધરપકડ કરાઈ હતી.
જ્યારે દાહોદ રેલવે સ્ટેશનથી ધાંતિયા અને ભાણાની ધરપકડ કરવામાં આવી હતી. તો 2016માં મહારાષ્ટ્રના માલેગાંવથી ભુમેડીની ધરપકડ કરાઈ હતી. આ પાંચેય આરોપી વિરુદ્ધ કેસ ચાલી ગયો છે અને હવે સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજે ચુકાદો આવી શકે છે.
કેસમાં ક્યારે શું થયું ? 27 ફેબ્રુઆરી 2002
ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેન પર હુમલો
સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ ચાંપી
ટોળાએ 59 કારસેવકોને જીવતા સળગાવ્યા
22 મે 2002
તપાસ એજન્સીએ પ્રથમ આરોપનામું દાખલ કર્યું
POTA એક્ટ હેઠળના એક પણ ગુનાનો ઉલ્લેખ નહીં
19 ડિસેમ્બર 2002
બીજું પ્રાથમિક આરોપનામું દાખલ કરાયું
તેમાં પણ POTA એક્ટ હેઠળના ગુનાનો ઉલ્લેખ ન હતો
3 માર્ચ 2003
સુનાવણી હાથ ધરવા POTA કોર્ટ રચાઈ
16 એપ્રિલ 2003
ત્રીજુ પ્રાથમિક આરોપનામું દાખલ કરાયું
આરોપીઓ પર POTA હેઠળ ગુના દાખલ કરાયા
21 નવેમ્બર 2003
સુપ્રીમ કોર્ટે કેસની તપાસ પર રોક લગાવી
સપ્ટેમ્બર 2004
POTA કોર્ટની સમીક્ષા સમિતિ ગુજરાત આવી