ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં જણાવાયુ હતુ કે, ગોધરાકાંડના રિપોર્ટ પ્રમાણે તત્કાલિન CM નરેન્દ્ર મોદી, હરેન પંડયા અને અશોકભટ્ટને ક્લિનચીટ, કોઇ રાજકીય આગેવાનોની સંડોવણી નથી. 2002માં થયેલા કોમી રમખાણોની તમામ રિપોર્ટો વિધાનસભામાં રજૂ કરાયા. 10 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ આજે વિધાનસભામાં રજૂ થયો હતો.
ગૃહમાં 5 હજાર થી વધુ પાનાનો રિપોર્ટ રજૂ કરાયો
પોલીસ અધિકારીની નકારાત્મક ભૂમિકા
44 હજાર એફિડેવીટ રજૂ
2002માં થયેલા કોમી રમખાણોની તમામ રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરાયા. 10 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ આજે વિધાનસભામાં રજૂ થયો હતો.
શું છે ગોધરાના રિપોર્ટમાં
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં જણાવાયુ હતુ કે, ગોધરાકાંડના રિપોર્ટ પ્રમાણે તત્કાલિન CM નરેન્દ્ર મોદી, હરેન પંડયા અને અશોકભટ્ટને ક્લિનચીટ, કોઇ રાજકીય આગેવાનોની સંડોવણી નથી.
વિધાનસભામાં રજૂ કરાયો ગોધરાકાંડનો રિપોર્ટ
ગૃહમાં 5 હજાર થી વધુ પાનાનો રિપોર્ટ રજૂ કરાયો. નરેન્દ્ર મોદીને બદનામ કરવાના કારસા રચવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીને બદનામ કરવાનું કોંગ્રેસે કાવતરૂ ઘડ્યું હતું. નરેન્દ્ર મોદીને પણ નાણાવટી પંચના રિપોર્ટમાં ક્લીનચીટ આપવામાં આવી. ગોધરાકાંડ તોફાનોમાં કોઈ રાજકીય આગેવાનોની સંડોવણી નથી. સ્વ.હરેન પંડ્યાને ગોધરાકાંડની ઘટનામાં ક્લીનચીટ મળી છે. અશોક ભટ્ટને પણ ક્લીનચીટ આપવામાં આવી છે.
પોલીસ અધિકારીની નકારાત્મક ભૂમિકા
પ્રદીપસિંહે જણાવ્યુ હતુ કે, સંજીવ ભટ્ટ, આર.બી.શ્રી કુમાર, રાહુલ શર્માની ભૂમિકા નકારાત્મક છે. ભરત બારોટ સામેના આક્ષેપો પણ ખોટા પુરવાર થયા છે. અમરસિંહ ચૌધરીના સરકાર પરના આક્ષેપો ખોટા પુરવાર થયા છે.
કોંગ્રેસનું કાવતરૂં
રાજ્યમાં તોફાનો વધે નહીં તે માટે CM મોદીએ કામગીરી કરી હતી. ગોધરાકાંડ બાદ તરત જ સરકારે પગલા લીધા હતા. રિપોર્ટમાં અધિકારીઓની બદલીના આક્ષેપોને પણ નકારવામાં આવ્યા છે. ગુજરાતને બદનામ કરવા માટે NGOએ કામ કર્યું. જન સંઘર્ષ મંચ, તિસ્તા સેતલવાડની NGOએ બદનામ કરવા કામ કર્યું હોવાની નોંધ. નરોડા પાટિયા અને નરોડા ગામની ઘટનાનો રિપોર્ટમાં ઉલ્લેખ નહીં.
44 હજાર એફિડેવીટ રજૂ
સમગ્ર રિપોર્ટમાં 44 હજાર એફિડેવીટ સામેલ છે. 468 પોલીસ અધિકારીઓની પણ એફિડેવિટ સામેલ છે.
CAGના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો
CAG રિપોર્ટમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. ફતેહવાડી કેનાલની મરામત પાછળ સરકારે રૂ.11 કરોડનો ખર્ચ કર્યો છે છતાં પણ પરિણામ નથીં આવ્યું. ફતેહવાડી કેનાલની મરામત પાછળ કરોડોનો ખર્ચ પાણીમાં ગયો છે. સતત બેદરકારીના કારણે ફતેહવાડી કેનાલના પિયતથી ખેડૂતો પરેશાન છે. રાજ્ય સરકારે આજે વિધાનસભામાં CAGનો રિપોર્ટ રજૂ કર્યો છે જે મુજબ GEDA રૂ. 5.62 કરોડ વિન્ડફાર્મ માલિકો પાસેથી વસૂલવામાં ઉણી ઉતરી છે. CAG રિપોર્ટ પ્રમાણે રાજ્યના રોડ નિર્માણમાં ડામરના ભાવ તફાવતનો કોન્ટ્રાકટરોને ફાયદો થયો છે. રાજ્યના માર્ગ-મકાન વિભાગની બેદરકારીથી અંદાજે રૂ. 9 કરોડ વધુ ચૂકવવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રનો આજે અંતિમ દિવસ છે ત્યારે ગોધરાકાંડનો જસ્ટિસ નાણાવટી પંચનો રિપોર્ટ અને કેગનો અહેવાલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. 2002માં થયેલા કોમી રમખાણોની તમામ રિપોર્ટો વિધાનસભામાં રજૂ કરાયા. 10 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ આજે વિધાનસભામાં રજૂ થઈ રહ્યા છે. જેમાં વૉક આઉટ કરી ગયેલા વિપક્ષના કેટલાક ધારાસભ્યો પરત ફર્યા છે.
5 બિલ રજૂ કરવામાં આવશે.
આ ઉપરાંત આજના દિવસે ગૃહમાં 5 બિલ રજૂ કરવામાં આવશે, ત્યારે સૌની નજર આજે રજૂ થનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી બિલ પર છે.
શું છે ગોધરાકાંડ રિપોર્ટ
આજે ગુજરાત વિધાનસભામાં ગોધરા કાંડનો અહેવાલ રજૂ કરવામાં આવશે. 10 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ આજે વિધાનસભામાં મૂકાયો. 27 ફેબ્રુઆરી 2002માં 59 કાર સેવકોનાં મોત થયાં હતાં. જસ્ટિસ જી. ટી. નાણાવટી અને અક્ષય એચ. મહેતા મહેતા તપાસ પંચના રિપોર્ટનો બીજો ભાગ આજે વિધાનસભા ગૃહમાં રજુ કરાયો છે.
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસને આગ લગાડી દેવામાં આવી હતી. જેમાં કોચ નંબર એસ-6માં સવાર 59 કાર સેવકોનાં મોત થયાં હતાં. જેમાં મૃતકોમાં 27 મહિલાઓ, 10 બાળકો અને 22 પુરુષો હતા. જે બાદ રાજ્યભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં અને તેની તપાસ માટે આ પંચની રચના કરવામાં આવી છે.