માં લક્ષ્મીની કૃપા વિના જીવનમાં આર્થિક ઉન્નતિ શક્ય નથી. માં લક્ષ્મી સ્વભાવે ચંચળ છે. કારણકે આ દરેક વખતે સ્થિર રહેતી નથી. કહેવાય છે કે જેની પર માં લક્ષ્મી મહેરબાન થઇ જાય છે તેની પાસે સંપત્તિની કોઈ કમી રહેતી નથી. તો લક્ષ્મી જ્યારે કોપાયમાન થાય છે ત્યારે ધનવાન માણસને પણ કંગાળ બનાવતા સમય લાગતો નથી.
ભૂલથી પણ આ ભૂલો ના કરશો, નહીંતર લક્ષ્મીજી ઘર છોડી ચાલ્યા જશે
જો લક્ષ્મી મહેરબાન થાય તો સંપત્તિની કોઈ કમી રહેતી નથી
જો લક્ષ્મીજી કોપાયમાન થાય તો અમીર માણસ પળભરમાં કંગાળ બને છે
શાસ્ત્રોમાં કેટલાંક એવા કાર્યો અંગે જણાવવામાં આવ્યું છે, જેને કરવાથી નાણાની દેવી લક્ષ્મી ઘર છોડીને ચાલ્યા જાય છે. એવામાં જાણો કે કઈ-કઈ ભૂલો ના કરવી જોઈએ.
વારંવાર જોવામાં આવે છે કે ઘરમાં લોકો એઠા વાસણોને ફેલાવીને રાખતા હોય છે. મોટાભાગના ઘરમાં ભોજન બાદ એઠા વાસણોને એ જગ્યાએ મૂકી દેવામાં આવે છે. શાસ્ત્રોમાં આ ટેવને અયોગ્ય માનવામાં આવી છે. આવુ કરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે, જેનું પરિણામ તમારે આર્થિક નુકસાન વેઠીને ભોગવવુ પડે છે.
ઉત્તર દિશાના સ્વામી ધનના દેવ કુબેર છે. આ સ્થાનને માતૃ સ્થાન માનવામાં આવ્યું છે. એવામાં આ સ્થાન પર કોઈ પણ ગંદકી રાખવી ના જોઈએ. આ દિશાને હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. જો આ દિશામાં બેકાર વસ્તુઓ રાખવામાં આવે છે તો ધન કુબેરની સાથે માં લક્ષ્મી પણ નારાજ થઇને ચાલ્યા જાય છે.
ઘરના રસોડામાં લક્ષ્મીનો વાસ હોય છે. એવામાં રસોઈ ગેસ પર ખાલી અને એઠા વાસણો પણ ના રાખવા જોઈએ. રસોડામાં ગેસને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ. જેનાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધી આવે છે. શાસ્ત્રો મુજબ, ગેસ પર ખાલી અને એઠા વાસણો મુકી દેવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે અને જ્યાં દરિદ્રતા રહે છે ત્યાં માં લક્ષ્મીનો વાસ ક્યારેય પણ થતો નથી.
સૂર્યાસ્ત થતી વખતે ઘરમાં કચરા-પોતુ ના કરવુ જોઈએ. આ સમયે ઘરમાં ઝાડૂ મારવાથી જીવનમાં દુર્ભાગ્યનો પડછાયો આવે છે. આ સાથે માં લક્ષ્મી નારાજ થઇને ઘરેથી ચાલ્યા જાય છે.
ચંદન એક હાથથી ના ઘસવુ જોઈએ. કારણકે આવુ કરવાથી નારાયણ દરિદ્ર બનાવે છે. આ સાથે માં લક્ષ્મી પણ નારાજ થાય છે. જેનાથી જીવનમાં સમાન નાણાની કમીનો સામનો કરવો પડે છે. બંને હાથે ચંદન ઘસ્યા બાદ કોઈ વાસણમાં રાખો. ત્યારબાદ દેવી અને દેવતાને અર્પણ કરો.